મહારાષ્ટ્ર: ભારે વિરોધ વચ્ચે સંજય રાઉતે ઈંદિરા ગાંધી પર કરેલાં નિવેદન અંગે કરી સ્પષ્ટતા
શિવસેના અને કોંગ્રેસમાં એક નિવેદનના લીધે ગરમાગરમી જોવા મળી રહી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ઈંદિરા ગાંધી અંગે એક ટિપ્પણી કરી હતી અને તેના લીધે વિવાદ સર્જાયો છે. સંજય રાઉતે ઈંદિરા ગાંધી અને કરીમ લાલાની વચ્ચે કનેક્શનને લઈને એક નિવેદન આપ્યું હતું અને તેને લઈને આ વિવાદ સર્જાયો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]
શિવસેના અને કોંગ્રેસમાં એક નિવેદનના લીધે ગરમાગરમી જોવા મળી રહી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે ઈંદિરા ગાંધી અંગે એક ટિપ્પણી કરી હતી અને તેના લીધે વિવાદ સર્જાયો છે. સંજય રાઉતે ઈંદિરા ગાંધી અને કરીમ લાલાની વચ્ચે કનેક્શનને લઈને એક નિવેદન આપ્યું હતું અને તેને લઈને આ વિવાદ સર્જાયો છે.
આ પણ વાંચો : કેપ્ટન કોહલીના સુપરફેન ‘દાદી’ ચારૂલતા પટેલનું નિધન, વિશ્વ કપ દરમિયાન આપ્યા હતા આર્શીવાદ
આ નિવેદન પર વિવાદ થયા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે પોતાના નિવેદનને પાછું ખેંચ્યું છે. ઉલ્લેખનીય છે કે વિચારધારાને લઈને કોંગ્રેસ અને શિવસેનાના વિવાદ સામે આવી જ રહ્યો છે. જેમાં ઈંદિરા ગાંધી કોંગ્રેસ નેતા હોવાથી અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે શિવસેનાની ગઠબંધનની સરકાર હોવાથી ભારે વિવાદ થયો છે. આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં ભાજપ વિપક્ષમાં હોવાથી એક વિરોધનો મોકો પણ પાર્ટીને મળી ગયો છે. જો કે કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે આવા નિવેદન નહીં ચલાવી લેવાય.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સંજય રાઉતે શું કહ્યું? સંજય રાઉતે કહ્યું કે જવાહરલાલ નહેરુ અને ઈંદિરા ગાંધીનું હંમેશા સન્માન કરીએ છીએ. જ્યારે પણ લોકોએ ઈંદિરા ગાંધી પર પ્રહાર કર્યા છે ત્યારે હું તેમના માટે ઉભો છું. આમ ઈંદિરા ગાંધી અંગેના નિવેદનને લઈને રાઉતે સ્પષ્ટતા કરી છે. સંજય રાઉતે બુધવારના રોજ કહ્યું હતું કે ઈંદિરા ગાંધી મુંબઈમાં જૂના ડૉન કરીમ લાલાને મળવા જતા. જેને લઈને રાઉતે સ્પષ્ટતા કરવી પડી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]