AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એસ.જયશંકરને પહેલી વખત ચીનમાં મળ્યા હતા નરેન્દ્ર મોદી, હવે બનાવ્યા કેબિનેટ મંત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 57 મંત્રીઓની સાથે શપથ ગ્રહણ કર્યા. મંત્રીમંડળમાં દરેક વર્ગની ભાગીદારી માટે તેનું પુરૂ ધ્યાન રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીની એક છબી બની ગઈ છે કે તેઓ છેલ્લા સમયે લોકોને ચોંકાવી દે છે. શપથ ગ્રહણમાં પણ કંઈક આવુ જ થયું છે. એસ.જયશંકરે સીધા જ કેબિનેટ મંત્રી માટે શપથ લીધા છે. તેના પાછળની એક […]

એસ.જયશંકરને પહેલી વખત ચીનમાં મળ્યા હતા નરેન્દ્ર મોદી, હવે બનાવ્યા કેબિનેટ મંત્રી
| Updated on: May 31, 2019 | 6:44 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 57 મંત્રીઓની સાથે શપથ ગ્રહણ કર્યા. મંત્રીમંડળમાં દરેક વર્ગની ભાગીદારી માટે તેનું પુરૂ ધ્યાન રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીની એક છબી બની ગઈ છે કે તેઓ છેલ્લા સમયે લોકોને ચોંકાવી દે છે. શપથ ગ્રહણમાં પણ કંઈક આવુ જ થયું છે.

એસ.જયશંકરે સીધા જ કેબિનેટ મંત્રી માટે શપથ લીધા છે. તેના પાછળની એક મોટી કહાની છે પણ તેની પહેલા એ જાણવું જરૂરી છે કે ડોકલામ વિવાદથી લઈને સંયૂક્ત રાષ્ટ્રમાં ભારત તરફથી એસ.જયશંકરની મહત્વની ભૂમિકા રહી છે. એસ.જયશંકર અને નરેન્દ્ર મોદી વચ્ચે ઓળખાણ તેમના વડાપ્રધાન બન્યા પહેલાની છે.

2012માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચીનના પ્રવાસે હતા. તે દરમિયાન જયશંકર તેમને મળ્યા હતા. બંનેની વચ્ચે ઘણી વાતચીત થઈ હતી. જાન્યુઆરી 2015થી લઈને જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ રહીને પહેલા કાર્યકાળ દરમિયાન તેમની વિદેશ નીતિઓને બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેને લઈને ખાસ કરીને અમેરિકા અને અરબ દેશો સહિત મુખ્ય દેશો સાથે ભારતના સંબંધનો મહત્વપૂર્ણ વિકાસ થયો. વિદેશ સચિવ બન્યા પહેલા તે 2013થી અમેરિકામાં ભારતના રાજદુત રહ્યાં છે. તે દરમિયાન અમેરિકી તંત્ર અને મોદી સરકારને નજીક લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.

જયશંકરે સપ્ટેમ્બર 2014માં વડાપ્રધાન તરીકેની નરેન્દ્ર મોદીની પહેલી અમેરિકા મુસાફરીની યોજના તૈયાર કરી અને તેને સફળ બનાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી. જયશંકરને જાન્યુઆરીમાં દેશનું ચોથું સૌથી મોટું સમ્માન પદ્મશ્રી આપવામાં આવ્યું હતું. તેમને ભારત અને અમેરિકાની વચ્ચે સુરક્ષા સહયોગમાં સુધારો લાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.

આ પણ વાંચો: નવી મોદી સરકારમાં આ 6 રાજ્યોમાંથી કોઈ પણ મંત્રી નહી!

જાન્યુઆરી 2015માં વિદેશ સચિવ સુજાતા સિંહની વિદાય થયા પછી તરત જ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી મંત્રીમંડળની એક બેઠકમાં એસ.જયશંકરને વિદેશ સચિવ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એસ.જયશંકર તે રાજદુત છે જેમણે ચીન, અમેરિકા અને રશિયામાં કામ કરવાનો અનુભવ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">