દેશમાં રાષ્ટ્રીય કોંગ્રેસ માટે હવે તેમના નેતાઓ જ પોતે મુસીબત બની રહ્યા છે. જેમાં જી-23ના નેતાઓ કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા જેવા નેતાઓ બાદ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા Rashid Alviએ પણ કોંગ્રેસને સલાહ આપીને કહ્યું છે કે તેમણે ભાજપ પાર્ટીમાંથી શીખવાની જરૂરિયાત છે. અલ્વીએ રવિવારે કહ્યું કે ભાજપ દરેક મોટી અને નાની ચૂંટણી જીતવા માટે રાત-દિવસ કામ કરે છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમના પક્ષના કાર્યકરોએ પણ ભગવો પક્ષ સાથે સ્પર્ધા માટે 24 કલાક કામ કરવાની જરૂર છે.
Rashid Alviએ ન્યૂઝ એજન્સીને કહ્યું, “અમિત શાહની પોતાની વ્યૂહરચના છે અને કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી જીતવા માટે વ્યૂહરચના બનાવવાની જરૂર છે.” બધી મોટી અને નાની ચૂંટણીઓમાં પાર્ટીના વિજયની ખાતરી માટે ભાજપ કાર્યકરો રાત-દિવસ મહેનત કરે છે. ભાજપ નેતાએ કહ્યું કે, ભાજપના કાર્યકરો પક્ષની જીત સુનિશ્ચિત કરવા કોઈ કસર છોડતા નથી. Rashid Alviએ આગળ કહ્યું, “તેઓ બધા પ્રયાસ કરે છે. જેમાં નૈતિક અને અનૈતિક પ્રવૃત્તિઓમાં પણ આવી જાય છે. કોંગ્રેસના કાર્યકરોએ વધુ મહેનત કરવાની જરૂર છે. 24 કલાક કામ કરવું જોઈએ અને વ્યૂહરચના વિકસાવવી જોઈએ તો જ આપણે તેમની સાથે સ્પર્ધા કરી શકીશું.
Rashid Alviનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે જમ્મુમાં એક બેઠક દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ગુલાબનબી આઝાદે પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. કોંગ્રેસથી નારાજ હોવાનું કહેવાતા 23 નેતાઓમાંથી એક આઝાદે કહ્યું કે વડાપ્રધાન બન્યા છતાં મોદી પોતાના મૂળને ભૂલ્યા નથી અને પોતાને ચા વાળા કહે છે. આઝાદ સહિતના ઘણા નેતાઓ આ દિવસોમાં સંગઠનની ચૂંટણી અને કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વની મોરચે પાર્ટીને સલાહ આપવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો: સરકારે કરોડો ઉદ્યોગપતિઓને આપી મોટી રાહત, 31 માર્ચ સુધી ફાઈલ કરી શકાશે વાર્ષિક GST રીટર્ન