બે નપાવટ એક સાથે, રસાયણિક હથિયારો સાથે ભારતમાં તબાહી મચાવવા ચીન અને પાકિસ્તાન એક થયા,બંને દેશ સાથે મળીને કરશે રિસર્ચ
કોરોના રોગને ફેલાવવા માટે જેને જવાબદાર ગણવામાં આવે છે તે ચીન હજુ સુધરવાનું નામ નથી લઈ રહ્યું. ભારત અને પશ્ચિમનાં દેશો વિરૂદ્ધ તેનું ષડયંત્ર રચવાનું યથાવત જ છે. મળતી માહિતિ પ્રમાણે ચીને પાકિસ્તાન સાથે રાસાયણિક હથિયારોને લઈને ગુપ્ત સમજૂતિ કરી હોવાનો ખુલાસો થયો છે. ક્લાક્સોન દ્વારા અનેક જાસુસી એજન્સીઓનો હવાલો આપીને આ જણાવ્યું છે કે […]
કોરોના રોગને ફેલાવવા માટે જેને જવાબદાર ગણવામાં આવે છે તે ચીન હજુ સુધરવાનું નામ નથી લઈ રહ્યું. ભારત અને પશ્ચિમનાં દેશો વિરૂદ્ધ તેનું ષડયંત્ર રચવાનું યથાવત જ છે. મળતી માહિતિ પ્રમાણે ચીને પાકિસ્તાન સાથે રાસાયણિક હથિયારોને લઈને ગુપ્ત સમજૂતિ કરી હોવાનો ખુલાસો થયો છે. ક્લાક્સોન દ્વારા અનેક જાસુસી એજન્સીઓનો હવાલો આપીને આ જણાવ્યું છે કે ચીન અને પાકિસ્તાન સાથે મળીને ઘાતક વાયરલ વાયરસ, એન્થ્રેક્સ જેવા અનેક પ્રોજેક્ટ હાથ પર લીધા છે અને તેના પર રિસર્ચ કામ કરવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે આ રિપોર્ટ એવા સમયે સામે આવી છે કે જ્યારે ચીનમાંથી નિકળેલા વાયરસે દુનિયાભરમાં તબાહી મચાવી રાખી છે, લાખો લોકો મરી ચુક્યા છે અને અટકળ લગાવાઈ રહી છે કે આ વાયરસ વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીથી નિકળ્યો છે. એન્થની ક્લાનનાં એક રિપોર્ટ મુજબ આ જ લેબે પાકિસ્તાન સેનાની ડિફેન્સ સાઈન્સ એન્ડ ટેકનોલોજી ઓર્ગેનાઈઝેશન સાથે ગુપ્ત સમજૂતિ કરી છે.
બંંને દેશે સંક્રમણ ફેલાવતા રોગ અને બિમારીઓનાં બાયોલોજીકલ કંટ્રોલ પર શોધ માટે સમજૂતિ કરી છે. ખાનગી સૂત્રોનાં માધ્યમથી ક્લાકસોને કહ્યું છે કે પાકિસ્તાન સાથે ચીનની આ ખાનગી સમજૂતિથી ચિંતા વધી ગઈ છે. ચીન કોરોના વાયરસ મુદ્દે વૈશ્વિક સ્તર પર ઘેરાયા બાદ હવે તે પોતાની સીમામાંથી બહાર આવીને રાસાયણિક હથિયારોનું પરિક્ષણ કરવા માગે છે.
કુખ્યાત વુહાન લેબે આ પ્રોજેક્ટ માટે તમામ આર્થિક ખર્ચ, સાધનો અને વૈજ્ઞાનિક સહાયતા પણ આપી છે અને આ આખા પ્રોજેકટનો ખર્ચ ચીને ઉપાડ્યો છે. જાસુસી એજન્સીઓનાં વરિષ્ઠ સૂત્રો મુજબ આ ખાનગી રાસાયણિક હથિયારોના પ્રોજેક્ટ મુજબ એન્થ્રેક્સનાં ડબલ ઉપયોગને લઈને રિસર્ચને અંજામ આપવામાં આવશે.
એક ખાનગી સુત્રનું માનીએ તો આ સમજૂતિ બતાવાઈ છે તેના કરતા કોઈ અલગ કારણને લઈને જ કરવામાં આવી છે. ભારતીય અને પશ્ચિમી જાસુસી એજન્સીઓ મજબ ચીન આ પ્રોજેક્ટથી ભારત અને પશ્ચિમનાં દેશો વિરૂદ્ધ પાકિસ્તાનનો ઉપયોગ કરીને રાસાયણિક હથિયારોને વિકસાવવા માગે છે. આ પ્રોજેકટ તે પોતાની ધરતી અને પોતાના લોકોને જોખમમાંથી બચાવીને ખતરનાક મનસુબાને અંજામ આપવા માગે છે.