Gujarati NewsPoliticsRajnath singh and jk dgp dilbagh singh lend a shoulder to mortal remains of a crpf soldier
ગૃહમંત્રી રાજનાથ સિંહે શહીદ જવાનોને કાંધ આપી કર્યું શત શત નમન, જુઓ વીડિયો
પુલવામા આત્મઘાતી હુમલામાં CRPFના 38 જવાનો શહીદ થવાથી દેશવાસીઓમાં રોષની સાથે શોક પણ છે. ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મૂ-કાશ્મીરના બડગામ પહોંચ્યાં હતાં. અહીં તેમણે ગૃહમંત્રીએ અવંતીપોરામાં CRPFના કાફલા પર થયેલા હુલમાના શહીદ જવાનોના દેહને કાંધ આપી હતી. આ પણ વાંચો : સમગ્ર દેશમાંથી ભલે પાકિસ્તાનને ધૂળ ચટાવવાની વાત કરવામાં આવી રહી હોય પણ ભારતે યુદ્ધ […]
Follow us on
પુલવામા આત્મઘાતી હુમલામાં CRPFના 38 જવાનો શહીદ થવાથી દેશવાસીઓમાં રોષની સાથે શોક પણ છે. ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહ આજે જમ્મૂ-કાશ્મીરના બડગામ પહોંચ્યાં હતાં. અહીં તેમણે ગૃહમંત્રીએ અવંતીપોરામાં CRPFના કાફલા પર થયેલા હુલમાના શહીદ જવાનોના દેહને કાંધ આપી હતી.
ગૃહમંત્રી રાજનાથ સિંહે પોતે ખભેથી જવાનોના કોફીન ઉચક્યા હતાં.આ તસ્વીરો ભાગ્યે જ જોવા મળી છે. કેન્દ્ર સરકાર આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચુક્યું છે. જેને જોતાં આગામી સમયમાં દેશ મજબૂત પગલાં લઈ શકે છે.
રાજનાથ સિંહે હુમલા બાદ જ કહ્યું હતું કે, આ આતંકી હુમલામાં શામેલ લોકોને બક્ષવામાં નહીં આવે. શહીદોના બલીદાનનો બદલો લેવામાં આવશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉચ્ચ કક્ષાની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક બાદ એક સભામાં કહ્યું હતું કે, સુરક્ષાબળોને એક્સન લેવાની સંપૂર્ણ છૂટ આપી દેવામાં આવી છે.