રાજસ્થાન(Rajasthan)કોંગ્રેસનો આંતરિક વિવાદ ચરમસીમા પર છે. તેવા સમયે અપક્ષ ધારાસભ્યોએ એક બેઠક યોજી હતી અને રાજકીય આંદોલનને વધુ તીવ્ર બનાવ્યું હતું. આ બેઠકમાં 13 માંથી 12 અપક્ષ ધારાસભ્યો હાજર રહ્યા હતા. જેમણે ગયા વર્ષે જ્યારે ગેહલોત સરકાર ઉપર કટોકટી સર્જાઈ હતી ત્યારે ગહેલોત શિબિરને ટેકો આપીને સરકારને બચાવી હતી.
તમામ 12 ધારાસભ્યો ફરી એકવાર અશોક ગેહલોતના સમર્થનમાં
અત્યારે રાજસ્થાન(Rajasthan)માં ગેહલોત અને સચિન પાયલોટ(Sachin Pilot)જૂથ વચ્ચેનો રાજકીય વિવાદ હજુ ચરમ સીમાએ છે. આ સ્થિતિમાં અપક્ષ ધારાસભ્યોની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠક પછી જે રીતે અપક્ષ ધારાસભ્યો મીડિયા સમક્ષ બહાર આવ્યા છે તે સ્પષ્ટ છે કે તમામ 12 ધારાસભ્યો ફરી એકવાર અશોક ગેહલોતના સમર્થનમાં ઉભા છે.
અશોક ગેહલોતના નેતૃત્વ પર વિશ્વાસ
બેઠકમાં ઉપસ્થિત અપક્ષ ધારાસભ્ય સન્યામ લોઢાએ જણાવ્યું હતું કે, અપક્ષ ધારાસભ્યોની આ બેઠક બાદ ગેહલોત સરકારને ગ્રામ સેવક અને તલાટીની ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્ય પગલા ભરવાની વિનંતી કરવામાં આવી છે જેથી સરકારી કામકાજો સુધરી શકાય. આ ઉપરાંત કરારના કામદારોને પણ નિયમિત કરવા સરકારને માંગ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરતાં અપક્ષ ધારાસભ્યોએ પણ કોરોનાની રોકથામ માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓની પ્રશંસા કરી છે.
અપક્ષ ધારાસભ્યોએ પણ મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા કરી
ઉલ્લેખનીય છે કે સચિન પાયલોટ(Sachin Pilot)કેમ્પ કેબિનેટ વિસ્તરણ અને રાજકીય નિમણૂકો માટેની તેમની માંગ બુલંદ કરી છે. પરંતુ આ મુદ્દે પણ પાયલોટ કેમ્પને અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળતું હોય તેમ લાગતું નથી. આ બેઠકમાં અપક્ષ ધારાસભ્યોએ પણ મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા કરી છે.
રાજસ્થાન(Rajasthan)માં અપક્ષ ધારાસભ્ય સન્યામ લોઢાએ કહ્યું કે મુખ્ય પ્રધાન નિર્ણય કરશે કે મંત્રીમંડળનો વિસ્તાર ક્યારે થવો જોઈએ અને કેબિનેટમાં કોને સ્થાન મળવું જોઈએ. રાજ્યના લોકોના હિતની વાત નથી કે જે અંગે સરકાર પર દબાણ લાવવું જોઈએ.