કેમ કોંગ્રેસ અને બીજી પાર્ટીઓ ચૂંટણી નથી જીતી શકતી? રાહુલ ગાંધીએ કહ્યું “મારી પાસે આ વસ્તુઓ નથી”
રાહુલ ગાંધીએ તાજેતરમાં એક ઓનલાઈન કાર્યકર્મમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે 'ચીનને કઈ રીતે પછાળ પાડવું'થી માંડીને 'હું PM હોત તો' જેવા સવાલોના જવાબ આપ્યા હતા.
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે માત્ર તેમની પાર્ટી જ નહીં પરંતુ બસપા, સપા અને એનસીપી જેવા પક્ષો પણ ભારતીય જનતા પાર્ટીનો મુકાબલો કરવામાં અસમર્થ છે. રાહુલ ગાંધીએ આનાં કારણો જણાવતાં કહ્યું છે કે, ભાજપે દેશના સંસ્થાકીય બંધારણને કબજે કરી લીધું છે, સાથે જ તેમની પાસે આર્થિક અને મીડિયાનું પ્રભુત્વ છે. હાર્વર્ડ કેનેડી સ્કૂલના ઓનલાઈન કાર્યક્રમમાં ભાગ લેતા રાહુલ ગાંધીએ આસામમાં ભાજપના નેતાની કારમાંથી ઇવીએમ મળી આવવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું કે, “આ દેશની સંસ્થાકીય રચના સંપૂર્ણપણે કબજે કરી લેવામાં આવી છે.” ભાજપ પાસે સંપૂર્ણ નાણાકીય અને મીડિયા પ્રભુત્વ છે. માત્ર કોંગ્રેસ જ નહીં, બસપા, એસપી, એનસીપી પણ ચૂંટણી જીતી નથી રહી.” રાહુલે વધુમાં કહ્યું,” ચૂંટણી જીતવા માટે મને સંસ્થાકીય માળખાની જરૂર છે, મારે એવી ન્યાયિક વ્યવસ્થાની જરૂર છે, જે મારો બચાવ કરી શકે, મને સ્વતંત્ર મીડિયાની જરૂર છે, મને નાણાકીય ઈક્વિટીની જરૂર છે, મને સંરચનાઓનો સમૂહ જોઈએ છે જે મને રાજકીય પક્ષ ચલાવવાની મંજૂરી આપે છે. મારી પાસે આ વસ્તુઓ નથી. ”
એમ્બેસેડર નિકોલસ બર્ન્સ સાથેના લાઈવ સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ આસામમાં ઇવીએમ અંગેના વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, “અમારા માટે જે કેમ્પેઈન ચલાવે છે તેઓ વીડિયો મોકલી રહ્યાં છે. જેમાં ભાજપના ઉમેદવારની કાર મતદાન મશીનો છે. પરંતુ રાષ્ટ્રીય મીડિયામાં કંઈ આવી રહ્યું નથી.”
સંસ્થાઓ અમારું રક્ષણ કરવામાં અસમર્થ
કોંગ્રેસની ચૂંટણીની નિષ્ફળતા અને આગળની વ્યૂહરચના વિશે પૂછતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે આપણે એક અલગ પરિસ્થિતિમાં છીએ જ્યાં તે સંસ્થાનો જે આપણું રક્ષણ કરી શકતી નથી, જે સંસ્થાઓને આપણી રક્ષા કરવાની જરૂર છે. તેમણે આરોપ લગાવ્યો કે શાસક પક્ષ દ્વારા સંસ્થાકીય માળખું સંપૂર્ણ રીતે કબજે કરવામાં આવ્યું છે.આ સાથે તેમણે દાવો કર્યો હતો કે લોકો શાસક પક્ષથી વિખેરાઈ રહ્યા છે અને કોંગ્રેસ માટે પણ એક તક છે.
જો પ્રધાનમંત્રી બનવાની તક મળે તો…
વડાપ્રધાન બનવાની તક મળે તો તેમની આર્થિક નીતિ શું હશે તેવું પૂછતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલે કહ્યું કે “તેઓ રોજગારના સર્જન પર ભાર મૂકશે. અર્થવ્યવસ્થામાં ગતિ લાવવાનાં પગલાંથી સંબંધિત સવાલ પર કોંગ્રેસ નેતાએ કહ્યું કે, હવે એક માત્ર વિકલ્પ લોકોના હાથમાં પૈસા આપવાનો છે. આ માટે અમારી પાસે ‘ન્યાય’ નો વિચાર છે.” ચીનના વધતા વર્ચસ્વના પડકાર વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે “ભારત અને અમેરિકા જેવા દેશો લોકશાહી મૂલ્યો સાથે સમૃદ્ધિ અને વિનિર્માણ ક્ષેત્રના વિકાસથી બેઇજિંગને પડકારી શકે છે.
આ પણ વાંચો: વૃદ્ધ દંપતીને ટ્રેનમાં નીચલો બર્થ ન આપવા પર રેલ્વેને મોટી ફટકાર, હવે ચૂકવવું પડશે આટલા લાખનું વળતર આ પણ વાંચો: Assam Election: ભાજપના નેતાની ગાડીમાં મળ્યા EVM, ચૂંટણી પંચે 4 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ