પોંડિચેરીમાં PM Modiના પ્રહાર,કહ્યું ખોટું બોલવામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા છે કોંગ્રેસ

|

Feb 25, 2021 | 6:07 PM

પોંડેચરીમાં એક જાહેર સભાને સંબોધન કરતા PM Modi એ કહ્યું કે આ વખતે પોંડેચરીમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે.કોંગ્રેસની નીતિ  ભાગલા  પાડો અને  ખોટું  બોલવાની છે. કોંગ્રેસ અસત્ય બોલવામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા છે.

પોંડિચેરીમાં PM Modiના પ્રહાર,કહ્યું ખોટું બોલવામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા છે કોંગ્રેસ

Follow us on

પોંડિચેરીમાં એક જાહેર સભાને સંબોધન કરતા PM Modi એ કહ્યું કે આ વખતે પોંડેચરીમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે ​​અહીં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ સમય દરમિયાન પોંડેચરીના રાજ્યપાલ સૌદર્યરાજન પણ તેમની સાથે હાજર હતા. વી નારાયણ સામીની સરકારના પતનના સંદર્ભમાં વડા પ્રધાને કહ્યું હતું કે પોંડેચરીના લોકો કોંગ્રેસના કૂશાસનથી આઝાદીનો આનંદ ઉઠાવી રહી છે.

કોંગ્રેસ પર નિશાન સાધતા PM Modi એ કહ્યું, રાજયમાં શાસકોની નીતિ ભાગલા પાડવા અને શાસન કરવાની હતી. કોંગ્રેસની નીતિ વિભાજન અને ખોટું બોલીને શાસન કરવાની છે. વર્ષ 2016 માં પોંડેચરીમાં એક સરકારની રચના થઈ જેણે કોંગ્રેસ હાઈકમાન્ડની સેવા કરી તેમની પ્રાથમિકતાઓ જુદી હતી.

કોંગ્રેસ લોકોના કામ કરવામાં માનતી નથી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પીએમ મોદીએ કહ્યું, વર્ષ 2016 માં પોંડેચરીની જનતાએ કોંગ્રેસને મોટી આશા સાથે મત આપ્યો, તેમને લાગ્યું કે સરકાર તેમની સમસ્યાઓ હલ કરશે. લોકો 5 વર્ષ પછી નિરાશ થયા છે. તેમના સપના અને આશાઓ તૂટી છે. કોંગ્રેસ સરકારે પોંડેચરીના શાસનના દરેક ક્ષેત્રને નુકસાન પહોંચાડ્યું છે. કોંગ્રેસ લોકો માટે કામ કરવામાં માનતી નથી.

ખોટું બોલવું કોંગ્રેસની શાસન કરવાની નીતિ છે

કોંગ્રેસની આકરી ઝાટકણી પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ બીજાને લોકશાહી વિરોધી કહેવાની કોઈ તક છોડતી નથી, તેઓએ પોતે અરીસામાં જોવાની જરૂર છે. તેમણે શક્ય તેટલી રીતે લોકશાહીનું અપમાન કર્યું છે. પોંડેચરીમાં તેમણે પંચાયતની ચૂંટણી યોજવાનો ઇનકાર કર્યો હતો. કોંગ્રેસની નીતિ  ભાગલા  પાડો અને  ખોટું  બોલવાની છે. કોંગ્રેસ અસત્ય બોલવામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતા છે. કોંગ્રેસના નેતાઓ અહીં આવીને કહે છે કે અમે માછીમારો માટે મત્સ્યોદ્યોગ મંત્રાલય બનાવીશું. મને આશ્ચર્ય થયું કે એનડીએ સરકારે 2019 માં માછીમારો માટે મંત્રાલય બનાવ્યું છે.

Published On - 6:05 pm, Thu, 25 February 21

Next Article