જામનગરની દેશની સૌ-પ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું. પીએમ મોદીના લોકાર્પણ બાદ આ સંસ્થાને રાષ્ટ્રીય દરજજો પ્રાપ્ત થયો છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. કેન્દ્રીય આયુષ મંત્રાલય હેઠલ કાર્યરત આ સંસ્થા દ્વારા આયુર્વેદ વિકાસના કામને વધુ વેગ મળશે. આ પ્રસંગે વડાપ્રધાને શું […]
Follow us on
જામનગરની દેશની સૌ-પ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું. પીએમ મોદીના લોકાર્પણ બાદ આ સંસ્થાને રાષ્ટ્રીય દરજજો પ્રાપ્ત થયો છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. કેન્દ્રીય આયુષ મંત્રાલય હેઠલ કાર્યરત આ સંસ્થા દ્વારા આયુર્વેદ વિકાસના કામને વધુ વેગ મળશે. આ પ્રસંગે વડાપ્રધાને શું સંબોધન કર્યું સાંભળો આ વીડિયોમાં.
જામનગરમાં કાર્યરત ઇન્સ્ટિટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સના ત્રણ વિભાગોને એક કરીને IIM દરજ્જાની સંસ્થા તૈયાર કરાઇ છે.દેશની પ્રથમ આયુર્વેદ રિસર્ચ સેન્ટર શરૂ થવાથી આયુર્વેદમાં ઔષધ નિર્માણ અને કૌશલ્ય પ્રાપ્ત તજજ્ઞો તૈયાર કરવામાં મદદ મળશે.સાથે જ વિદ્યાર્થીઓમાં પણ ભણતર માટેની સ્વતંત્રતા રહેશે.