દેશના સૌથી મોટા ટાઉનહોલ કાર્યક્રમમાં વરસ્યા વડાપ્રધાન મોદી 500 સ્થળોથી જનતા સંવાદની સાથે કર્યા વિપક્ષો પર આકરા પ્રહાર, વાંચો શુ કહ્યું વડાપ્રધાને?

જનતા સંવાદની સાથે વિપક્ષીઓ પર નિશાન સાધતા PM મોદીએ કહ્યું કે, દેશને લૂંટવા વાળાઓએ એક-એક રૂપિયો પરત આપવો પડશે. ગાંધી પરિવાર પર આક્ષેપ કરતા કહ્યું કે, કેટલાક લોકો જામીન પર છે, તો કેટલાક લોકો કોર્ટના ચક્કર કાપી રહ્યાં છે. મારા માટે ચૂંટણી નહી દેશ મહત્વનો છે. દેશની જનતા ને રાજા- મહારાજાની જરૂર નથી, લોકો ચોકીદારને […]

દેશના સૌથી મોટા ટાઉનહોલ કાર્યક્રમમાં વરસ્યા વડાપ્રધાન મોદી 500 સ્થળોથી જનતા સંવાદની સાથે કર્યા વિપક્ષો પર આકરા પ્રહાર, વાંચો શુ કહ્યું વડાપ્રધાને?
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 31, 2019 | 2:35 PM

જનતા સંવાદની સાથે વિપક્ષીઓ પર નિશાન સાધતા PM મોદીએ કહ્યું કે, દેશને લૂંટવા વાળાઓએ એક-એક રૂપિયો પરત આપવો પડશે. ગાંધી પરિવાર પર આક્ષેપ કરતા કહ્યું કે, કેટલાક લોકો જામીન પર છે, તો કેટલાક લોકો કોર્ટના ચક્કર કાપી રહ્યાં છે.

મારા માટે ચૂંટણી નહી દેશ મહત્વનો છે. દેશની જનતા ને રાજા- મહારાજાની જરૂર નથી, લોકો ચોકીદારને પસંદ કરે છે. PM મોદીએ કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપ કરતા કહ્યું કે, ખોટુ બોલવા વાળાની મેમરી સારી હોવી જોઈએ, યાદશક્તિ સારી ન હોવાથી તેઓ પકડાઈ જાય છે. ઉપરાંત તેઓ આંકડા પણ રોજ બદલે છે માટે ખોટુ બોલવાની ફેક્ટરી ઉઘાડી પડી જાય છે.

TV9 Gujarati

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જનતા સાથે સંવાદ કરતા PM મોદી લોકોના સવાલોના જવાબ આપતા કહ્યું કે. તમારા વિસ્તારમાં કોઈ સારો પોલીસ અધિકારી આવે તો લોકોને સારો લાગે છે. પરંતુ જે ખોટુ કરે છે, તે લોકો ડરે છે અને પોતાના જવાબની સાથે ઉદાહરણ પણ આપ્યું કે, જે રાજ્યોમાં ભાજરની સરકાર છે ત્યાંના રેકોર્ડ તપાસતા 8 કરોડ ફર્જી નામ સામે આવ્યા. જેનો જન્મ નથી થયો તેવા લોકો મોટા થયા અને સરકારી લાભ પણ મળ્યા.

1 લાખ કરોડ થી વધુ રકમ વર્ષોથી ચોરી થતી હતી. જે આધાર કાર્ડ આવવાથી અટકી છે. જેથી દેશને લાભ થયો છે. 1 લાખ કરોડના ગોટાળા બંધ થતા, ચોકીદાર પર ચોરીના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. કારણ કે મોદી સરકારમાં ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર યોજના અમલી બની જેનો લાભ નાગરીકોને સીધો મળે છે. જ્યારે, કોંગ્રેસની યોજના ડાયરેક્ટ બિચોલીયા ટ્રાન્સફર હતી. જેમાં તમામ રકમ વચોટીયા ખાઈ જતા હતા.હવે તે રૂપિયાથી જ દેશનો વિકાસ થઈ રહ્યો છે માટે આ ચોકીદાર વિરોધીઓને નડી રહ્યો છે.

પહેલી વખત વોટ કરનાર લોકો માટે સંદેશો

પહેલી વખત વોટ કરનાર લોકોને પણ PM મોદીએ સંબોધ્યા અને કહ્યું કે, ખોટાની ફેક્ટરી ચલાવનાર લોકોથી બચવુ. તેમની ટેપ સાંભળવી નહીં પરંતુ તેમનો ટ્રેક જોવો કારણ કે 4 પેઢી થી ગરીબી હટાવોના ખોટા વાયદાઓ આપનાર લોકોથી બચવુ જરૂરી છે. કારણ કે, તેઓ કશું જ કરતા નથી માત્ર વાયદા આપીને જતા રહે છે.

આગામી 5 વર્ષમાં શુ કામ થશે?

વર્ષ 2014 થી 2019ના 5 વર્ષમાં કેટલાક લોકોને જેલના દરવાજે લઈ ગયો છુ. હવે આગામી સમયમાં તેમને જેલમાં મોકલવામાં આવશે. 5 વર્ષનું શાસન પહેલાની સરકારે કરેલા ખાડા પુરવામાં વિત્યા છે. 5 વર્ષમાં દેશની જરૂરીયાત પૂર્ણ કરવામાં વિત્યા છે. પરંતુ હવેના 5 વર્ષમાં આકાંક્ષા પુરી કરવામાં આવશે અને જ્યાં ખાડા પુરવામાં આવ્યા છે ત્યાં સ્વપ્નની ઈમારતો બનશે.

2022માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થશે. તે સમયે ભારતમાં એક પણ પરિવાર ઘર વિનાનું નહી હોય, ખેડૂતની આવક બે ગણી થશે. ઉપરાંત દેશને 5 ટ્રિલિયન ઈકોનોમી ક્લબમાં લઈ જવાનો ઉદેશ્ય PM મોદીએ જનતા સમક્ષ મુક્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">