16 જૂનના રોજ મળશે સંસદની જાહેર હિસાબ સમિતિની બેઠક, કોરોના રસીકરણ નીતિ પર ચર્ચાની સંભાવના

કોરોના(Corona)ની બીજી લહેરની ગતિ હવે ધીમી થઈ રહી છે અને દેશભરમાં લોકડાઉન હળવું કરવામાં આવી રહ્યું છે. છે છે. તેમજ જન જીવન હવે ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યું છે.તેવા સમયે હવે સંસદ(Parliament) ની સ્થાયી સમિતિઓની બેઠક ફરી શરૂ થવા જઈ રહી છે.

16 જૂનના રોજ મળશે સંસદની જાહેર હિસાબ સમિતિની બેઠક, કોરોના રસીકરણ નીતિ પર ચર્ચાની સંભાવના
16 જૂનના રોજ સંસદની જાહેર હિસાબ સમિતિની બેઠક
Follow Us:
| Updated on: Jun 09, 2021 | 10:30 PM

કોરોના(Corona)ની બીજી લહેરની ગતિ હવે ધીમી થઈ રહી છે અને દેશભરમાં લોકડાઉન હળવું કરવામાં આવી રહ્યું છે. તેમજ જન જીવન હવે ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યું છે.તેવા સમયે હવે સંસદ(Parliament) ની સ્થાયી સમિતિઓની બેઠક ફરી શરૂ થવા જઈ રહી છે.

સંસદ(Parliament)ની સ્થાયી સમિતિની બેઠક લગભગ ત્રણ મહિનાના બાદ શરૂ થવા જઈ રહી છે. જેમાં 16 મી જૂને જાહેર હિસાબ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ અધિર રંજન ચૌધરીની અધ્યક્ષતાવાળી આ સમિતિની બેઠકમાં કોરોના રસીકરણની નીતિ સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. તેવી જ રીતે જળ સંસાધન મંત્રાલય સાથે જોડાયેલી સ્થાયી સમિતિની બેઠક 21 જૂને બોલાવવામાં આવી છે.

સમિતિની બેઠક ફરી શરૂ કરવાની સલાહ

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભા સચિવાલયએ જૂનના ત્રીજા સપ્તાહમાં સમિતિઓની બેઠકો ફરીથી શરૂ કરવાની સલાહ આપી હતી, જયાં સુધી કોરોના(Corona)ના કેસોમાં વધુ ઘટાડો થઈ શકે. બીજું કારણ આપવામાં આવ્યું હતું કે જૂનના ત્રીજા અઠવાડિયા સુધીમાં, મોટાભાગના સાંસદો રસીનો બીજો ડોઝ મળી ગયો હશે. તેમજ સંસદનું ચોમાસું સત્ર પણ જુલાઈના ત્રીજા અઠવાડિયાથી શરૂ થવાની સંભાવના છે.

કોરોનાના કેસોમાં વધારા સાથે સંસદનું બજેટ સત્ર ટૂંકાવામાં આવ્યું હતું 

કોરોના(Corona)ની બીજી લહેરમાં કોરોનાના કેસોમાં વધારા સાથે સંસદનું બજેટ સત્ર ટૂંકાવામાં આવ્યું હતું અને 23 માર્ચે જ મુલતવી રાખવામાં આવ્યું હતું. તેના પછી સંસદીય સ્થાયી સમિતિઓની તમામ બેઠકો પણ મુલતવી રાખવામાં આવી હતી. ત્યારબાદ સ્થાયી સમિતિની બેઠકો ઓનલાઇન યોજવાની માંગ વિપક્ષ દ્વારા પણ સતત કરવામાં આવી રહી હતી. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે આ સંદર્ભે લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષને પત્ર પણ લખ્યા હતા, પરંતુ તેમની વિનંતી ગુપ્તતાના નિયમો હેઠળ નકારવા આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">