Karnataka : કર્ણાટકના મુખ્યપ્રધાન બાસવરાજ બોમ્માઇએ (Basavraj Bommai) શનિવારે તેમના નવા મંત્રીમંડળના સભ્યોમાં વિભાગોની વહેંચણી કરી હતી. જોકે, વિસ્તરણને લઈને કેટલાક મંત્રીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
અહેવાલોનું માનીએ તો, કેટલાક મંત્રીઓ (Ministers) તેમના વિભાગથી ખુશ નથી કારણ કે તેમને પસંદગીનો વિભાગ મળ્યો નથી. જેના પર CM બસવરાજ બોમ્માઈએ જણાવ્યુ હતુ કે, દરેક મંત્રીને તેનો મનપસંદ વિભાગ મળી શકે નહિ.
મીડિયા સમક્ષ નિવેદન આપતા બોમ્માઈએ જણાવ્યું હતુ કે, દરેક વ્યક્તિને તેનો મનપસંદ વિભાગ મળી શકે નહિ. વધુમાં જણાવ્યું હતું કે, તે મંત્રી આનંદ સિંહ મારા ખૂબ નજીકના છે, તેથી અમે વાત કરીને મામલાને ઉકેલશું. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના નવનિયુક્ત મંત્રી આનંદ સિંહે મંત્રીમંડળના (Cabinet) વિભાગની ફાળવણીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.
વિભાગની ફાળવણીથી બે મંત્રીઓ નારાજ
આપને જણાવવું રહ્યું કે, વિભાગની ફાળવણીથી બે મંત્રીઓ આનંદ સિંહ (Aanand Sinh) અને નાગરાજે (Nagraj) નારાજગી વ્યક્ત કરી હતી. ઉપરાંત તેમના પ્રધાનોમાં અસંતોષ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ નારાજ મંત્રીઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરશે અને આ બાબતનો ઉકેલ લાવશે. વધુમાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને પસંદનો વિભાગ ફાળવી શકાય નહિ.
ઉલ્લેખનીય છે કે, નાગરાજ અને આનંદ સિંહે 2019 માં કોંગ્રેસ-જેડીએસનું (Congress JDS) ગઠબંધન છોડીને તેઓ ભાજપમાં જોડાયા હતા. નાગરાજે ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે, “પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા અને વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇએ પોતાનું વચન પાળ્યું નથી અને મને આપવામાં આવેલા વિભાગથી હું ખુશ નથી. જેથી, આગામી 2-3 દિવસમાં આ અંગે હું નિર્ણય લઈશ.”
મંત્રીઓ મુખ્યપ્રધાન સાથે કરશે મુલાકાત
નાગરાજ પાસે અગાઉની સરકારમાં મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન (Municipal Administration) મંત્રાલય હતું અને આ વખતે પણ તેને આ મંત્રાલય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નાના ઉદ્યોગો અને જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની વધારાની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે. આપને જણાવવું રહ્યું કે,આનંદ સિંહે પણ તેમને મળેલા વિભાગ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમને પર્યાવરણ અને પ્રવાસન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી નારાજ મંત્રીઓ સાથે મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરશે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ, કોંગ્રસે કહ્યું ‘મોકલવામાં આવ્યો જવાબ’