નિર્ભયા કેસ : નવા ડેથ વોરંટ માટે સરકારે કોર્ટમાં કરી અરજી, જાણો ક્યારે થશે વધુ સુનાવણી?
નિર્ભયા કેસ મામલે દરરોજ નવા વળાંક જોવા મળી રહ્યાં છે. ગુરુવારના રોજ સરકારી વકીલે હાઈકોર્ટમાં અરજી કરી છે કે અક્ષયની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. આમ તેના લીધે નવું ડેથ વોરંટ કોર્ટ દ્વારા ઈશ્યુ કરવામાં આવે. પટિયાલા કોર્ટમાં આ અંગે સરકારી વકીલ દ્વારા અરજી કરવામાં આવી છે. પટિયાલા કોર્ટે આ મામલે તમામ પક્ષોને નોટિસ […]
નિર્ભયા કેસ મામલે દરરોજ નવા વળાંક જોવા મળી રહ્યાં છે. ગુરુવારના રોજ સરકારી વકીલે હાઈકોર્ટમાં અરજી કરી છે કે અક્ષયની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. આમ તેના લીધે નવું ડેથ વોરંટ કોર્ટ દ્વારા ઈશ્યુ કરવામાં આવે. પટિયાલા કોર્ટમાં આ અંગે સરકારી વકીલ દ્વારા અરજી કરવામાં આવી છે. પટિયાલા કોર્ટે આ મામલે તમામ પક્ષોને નોટિસ આપી છે અને શુક્રવારના દિવસે 2 વાગ્યે સુનાવણી કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી છે.
આ પણ વાંચો : VIDEO: રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા SSG હોસ્પિટલમાં ચેકિંગ માટે પહોંચી
પબ્લિક પ્રોસિક્યૂટર એટલે કે દિલ્હી સરકારની તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કોર્ટમાં સરકારે દલીલ કરી છે કે અક્ષયની અરજી પણ રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. જેના લીધે કોઈની અરજી પેન્ડીંગ નથી. આમ કાનૂની રીતે તમામ ઉપચાર પૂરા થઈ ગયા હોવાથી ફાંસીનું ડેથ વોરંટ ઈશ્યુ કરવામાં આવે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો કે દયાની અરજી કરવાનો વિકલ્પ પવનની પાસે છે. પવને કોઈ દયાની અરજી કોર્ટમાં દાખલ કરી નથી. જેના લીધે શુક્રવારના 2 વાગ્યે આ અંગે સ્પષ્ટતા થઈ શકે છે કે કોર્ટ નવું ડેથ વોરંટ ઈશ્યું કરે છે કે નહીં. ડેથ વોરંટના આધારે ફાંસીની તારીખ નક્કી થતી હોય છે. આ શુક્રવારના દિવસે નિર્ભયા કેસમાં મોટી સુનાવણી થઈ શકે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]