મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન સ્વ. એ. આર. અંતુલેના પુત્ર નાવેદ અંતુલેએ શિવસેના સાથે નાતો જોડી લીધો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નાવેદ અંતુલેનું શિવબંધન બાંધી પાર્ટીમાં સ્વાગત કર્યું. નાવેદ અંતુલેના શિવસેના સાથે જોડાવાથી કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને સુનીલ તટકરેને મોટો ફટકો પડી શકે છે. કેમ કે રાયગઢમાં અંતુલેને માનનારો મોટો વર્ગ છે. સ્વ. […]
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન સ્વ. એ. આર. અંતુલેના પુત્ર નાવેદ અંતુલેએ શિવસેના સાથે નાતો જોડી લીધો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નાવેદ અંતુલેનું શિવબંધન બાંધી પાર્ટીમાં સ્વાગત કર્યું.
નાવેદ અંતુલેના શિવસેના સાથે જોડાવાથી કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને સુનીલ તટકરેને મોટો ફટકો પડી શકે છે. કેમ કે રાયગઢમાં અંતુલેને માનનારો મોટો વર્ગ છે. સ્વ. એ. આર. અંતુલેને કારણે સુનીલ તટકરે પણ રાજકારણમાં આવ્યા હતા. જોકે તટકરેએ તેમના જ પુત્રની ઉપેક્ષા કરી, જેને કારણે નારાજ નાવેદ અંતુલેને આ પગલું ભરવું પડ્યું. નાવેદ રાયગઢ બેઠક પરથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સુનીલ તટકરેના વિરોધમાં અને શિવસેનાના ઉમેદવાર અનંત ગીતેનો પ્રચાર કરશે.
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત
કેરી સાથે ક્યારેય આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી
નાવેદ અંતુલેએ કહ્યું કે એક સાચા શિવ સૈનિકનો ધર્મ છે કે તે પાર્ટી અધ્યક્ષનો આદેશ માને. તેથી ઉદ્ધવ ઠાકરે અમને જે આદેશ આપશે, તેનું અમે પૂરેપૂરું પાલન કરીશું. હું સુનીલ તટકરેથી નારાજ નથી, તેમનાથી નારાજગી શા માટે ? તેમણે તો મને તક આપી કે હું શિવસેનામાં પ્રવેશ કરું