Maharashtra : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની બેઠક બાદ મહારાષ્ટ્રમાંભાજપ(BJP) અને શિવસેના (ShivSena)ની એક સાથે આવવાની ચર્ચાઓ થઇ રહી છે.શું મહારાષ્ટ્રમાં BJP અને શિવસેના એક સાથે છે? શિવસેનાના નેતા સંજય રાઉતે આ અંગે મોટું નિવેદન આપ્યું છે.
શું કહ્યું સંજય રાઉતે ?
સંજય રાઉત (Sanjay Raut) એ ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધોની તુલના અભિનેતા આમિર ખાન અને કિરણ રાવ સાથે કરી હતી. તાજેતરમાં આમિર ખાન અને કિરણ રાવે ડિવોર્સની જાહેરાત કરી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અમે ભારત-પાકિસ્તાન નથી. આમિર ખાન અને કિરણ રાવને જુઓ, તે આ પ્રકારનો સંબંધ છે. અમારા રાજકીય માર્ગો જુદા છે. પરંતુ અમે હંમેશા મિત્રો રહીશું.
આ અગાઉ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભાજપ(BJP) અને શિવસેના (ShivSena) બંને પક્ષો દુશ્મન નથી.
We are not India-Pakistan. Look at Aamir Khan and Kiran Rao, it is like them. Our (Shiv Sena, BJP) political ways are different but the friendship will remain intact: Shiv Sena leader Sanjay Raut on BJP’s Devendra Fadnavis’ ‘we are not enemies’ remark pic.twitter.com/OUPdztS9Od
— ANI (@ANI) July 5, 2021
શું કહ્યું હતું દેવેન્દ્ર ફડણવીસે?
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે શિવસેના (ShivSena) સાથે કોઈ દુશ્મનાવટ નથી, વૈચારિક મતભેદો થયા છે. રાજકારણમાં જો અને તો નો કોઈ અર્થ નથી. પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને નિર્ણયો લેવામાં આવે છે.તેમણે કહ્યું કે અમારી સાથે ચૂંટણી લડેલા અમારા મિત્રો અમારો સાથ છોડીને એ લોકો સાથે ગયા છે, જેમની સામે તેઓ ચૂંટણી લડ્યા હતા. આ કારણે મતભેદો ઉભા થયા છે, પણ બંને વચ્ચે દુશ્મનાવટ નથી.
સંજય રાઉત અને આશિષ શેલાર વચ્ચે ગુપ્ત બેઠક
3 જુલાઈને શનિવારે શિવસેનાના સાંસદ સંજય રાઉત (Sanjay Raut) અને ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર (Ashish Shelar) વચ્ચેની ગુપ્ત બેઠકના સમાચાર બાદ આ ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું છે કે શું ભાજપ અને શિવસેના ફરી એક સાથે જોડાવા જઈ રહ્યા છે? જો કે સંજય રાઉત અને આશિષ શેલરે આવી કોઈ બેઠક હોવાનો ઇનકાર કર્યો છે.પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ રહી છે કે ભાજપ અને શિવસેનાની અંદર કંઇક રંધાઈ રહ્યું છે.
Published On - 10:48 pm, Mon, 5 July 21