MUMBAI : શું મહારાષ્ટ્રમાં BJP અને શિવસેના એકસાથે છે? જાણો સંજય રાઉતે શું જવાબ આપ્યો

|

Jul 05, 2021 | 10:50 PM

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપ અને શિવસેના બંને દુશ્મન નથી, જોકે બંને વચ્ચે મતભેદ છે. સંજય રાઉતે બંને પક્ષોના સંબંધોની તુલના આમિર ખાન અને કિરણ રાવ વચ્ચેના સંબંધ સાથે કરી છે.

MUMBAI : શું મહારાષ્ટ્રમાં BJP અને શિવસેના એકસાથે છે? જાણો સંજય રાઉતે શું જવાબ આપ્યો
FILE PHOTO

Follow us on

Maharashtra : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની બેઠક બાદ મહારાષ્ટ્રમાંભાજપ(BJP) અને શિવસેના (ShivSena)ની એક સાથે આવવાની ચર્ચાઓ થઇ રહી છે.શું મહારાષ્ટ્રમાં BJP અને શિવસેના એક સાથે છે? શિવસેનાના નેતા સંજય રાઉતે આ અંગે મોટું નિવેદન આપ્યું છે.

શું કહ્યું સંજય રાઉતે ?
સંજય રાઉત (Sanjay Raut) એ ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધોની તુલના અભિનેતા આમિર ખાન અને કિરણ રાવ સાથે કરી હતી. તાજેતરમાં આમિર ખાન અને કિરણ રાવે ડિવોર્સની જાહેરાત કરી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અમે ભારત-પાકિસ્તાન નથી. આમિર ખાન અને કિરણ રાવને જુઓ, તે આ પ્રકારનો સંબંધ છે. અમારા રાજકીય માર્ગો જુદા છે. પરંતુ અમે હંમેશા મિત્રો રહીશું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

આ અગાઉ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભાજપ(BJP) અને શિવસેના (ShivSena) બંને પક્ષો દુશ્મન નથી.

શું કહ્યું હતું દેવેન્દ્ર ફડણવીસે?
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે શિવસેના (ShivSena) સાથે કોઈ દુશ્મનાવટ નથી, વૈચારિક મતભેદો થયા છે. રાજકારણમાં જો અને તો નો કોઈ અર્થ નથી. પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને નિર્ણયો લેવામાં આવે છે.તેમણે કહ્યું કે અમારી સાથે ચૂંટણી લડેલા અમારા મિત્રો અમારો સાથ છોડીને એ લોકો સાથે ગયા છે, જેમની સામે તેઓ ચૂંટણી લડ્યા હતા. આ કારણે મતભેદો ઉભા થયા છે, પણ બંને વચ્ચે દુશ્મનાવટ નથી.

સંજય રાઉત અને આશિષ શેલાર વચ્ચે ગુપ્ત બેઠક
3 જુલાઈને શનિવારે શિવસેનાના સાંસદ સંજય રાઉત (Sanjay Raut) અને ભાજપના ધારાસભ્ય આશિષ શેલાર (Ashish Shelar) વચ્ચેની ગુપ્ત બેઠકના સમાચાર બાદ આ ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યું છે કે શું ભાજપ અને શિવસેના ફરી એક સાથે જોડાવા જઈ રહ્યા છે? જો કે સંજય રાઉત અને આશિષ શેલરે આવી કોઈ બેઠક હોવાનો ઇનકાર કર્યો છે.પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ રહી છે કે ભાજપ અને શિવસેનાની અંદર કંઇક રંધાઈ રહ્યું છે.

આ પણ વાંચો : Maharashtra: શું ફરી એક વાર BJP અને ShivSena સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસે આપ્યું મોટું નિવેદન

આ પણ વાંચો : MAHARASHTRA : વિધાનસભાના ચોમાસું સત્રમાં હોબાળો, BJP ના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં

Published On - 10:48 pm, Mon, 5 July 21

Next Article