માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

|

Jun 23, 2019 | 5:10 PM

અખિલેશ યાદવ અને માયાવતીની પાર્ટીએ ગઠબંધન કરીને સાથે લોકસભાની ચૂંટણી લડી હતી. બંને પાર્ટીઓને આ ગઠબંધનન સારા પરિણામો લાવશે તેવી આશા પણ હતી જો કે ભાજપની ભવ્ય જીતે આ આશા પર પાણી ફેરવી દીધું હતું. હાર બાદ બસપાએ સપાની સાથે ગઠબંધન તોડવાનો ઈશારો કરી દીધો હતો. હવે આ મતભેદ ખુલીને સામે આવી રહ્યાં છે. Web […]

માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

Follow us on

અખિલેશ યાદવ અને માયાવતીની પાર્ટીએ ગઠબંધન કરીને સાથે લોકસભાની ચૂંટણી લડી હતી. બંને પાર્ટીઓને આ ગઠબંધનન સારા પરિણામો લાવશે તેવી આશા પણ હતી જો કે ભાજપની ભવ્ય જીતે આ આશા પર પાણી ફેરવી દીધું હતું. હાર બાદ બસપાએ સપાની સાથે ગઠબંધન તોડવાનો ઈશારો કરી દીધો હતો. હવે આ મતભેદ ખુલીને સામે આવી રહ્યાં છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બસપાની ઝોનલ કો-ઓર્ડિનેટરની મીટિંગમાં સાંસદોએ પણ હાજરી આપી હતી. આ મીટિંગમાં માયાવતીએ અખિલેશ યાદવની ઝાટકણી કાઢી હતી. એવી માહિતી મળી રહી છે કે લોકસભાની ચૂંટણીના હારનું ઠીકરું માયાવતીએ અખિલેશ યાદવ પર ફોડી દીધું હતું. માયાવતીએ મીટિંગમાં કહ્યું કે અખિલેશે મને વધારે મુસલમાનોને ટિકિટ આપવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તેના લીધે ધ્રુવીકરણ થશે. જો ધ્રુવીકરણ થાય તો તેનો સીધો ફાયદો ભાજપને મળી શકે તેમ હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

માયાવતીએ મુલાયમ સિંહને પણ પોતાના નિશાને લીધા હતા. માયાવતીએ કહ્યું કે મને ફસાવવા પાછળ ભાજપ અને મુલાયમ સિંહનો હાથ છે. તેમણે આ ફસાવવાની વાતને લઈને તાજ કોરિડોરનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય માયાવતીએ કહ્યું કે સપાએ પ્રમોશનમાં આરક્ષણને લઈને પણ વિરોધ કર્યો હતો. આના લીધે દલિતો, પછાતોએ તેમને વોટ ન આપ્યો.

આ પણ વાંચો:  બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ગુજરાતમાં થઈ શકે છે મેઘમહેર

માયાવતીએ અખિલેશ વિશે કહ્યું કે ચૂંટણીના પરિણામો બાદ તેમને મને ક્યારેય ફોન કર્યો નથી. સતિશ મિશ્રાએ આ બાબતે અખિલેશને કહ્યું પણ તેઓએ ફોન કર્યો નહોતો. મેં એક વડા તરીકે પોતાની ફરજ અદા કરી અને 23 તારીખના રોજ તેમને ફોન કરીને સપા પરિવારની હારને લઈને દુ:ખ વ્યક્ત કર્યું. માયાવતીએ સપાની રાજનીતિ વિશે પણ આરોપ લગાવીને કહ્યું કે સપાના શાસનમાં જે દલિતો પર અત્યાચાર થયા તેને લીધે દલિતોએ સપાને મત ન આપ્યા અને સપા હારનું કારણ બની. માયાવતીએ વધુમાં ઉમેર્યું કે ઘણી જગ્યાઓએ સપાના નેતાઓએ બસપાના ઉમેદવારને હરાવવાનું પણ કાર્ય કર્યું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article