Maharashtra : શરદ પવારે ખેડુતોના વિરોધને લઈને મોદી સરકારની કરી આકરી ટીકા

|

Jan 25, 2021 | 11:38 PM

Maharashtra: ખેતીના નવા કાયદા અંગે એનસીપીના પ્રમુખ શરદ પવારે કેન્દ્રની જોરદાર ટીકા કરી, કર્યો આ મોટો દાવો...

Maharashtra : શરદ પવારે ખેડુતોના વિરોધને લઈને મોદી સરકારની કરી આકરી ટીકા

Follow us on

Maharashtra : ખેતીના નવા કાયદા અંગે એનસીપીના પ્રમુખ શરદ પવારે કેન્દ્રની જોરદાર ટીકા કરી, કર્યો આ મોટો દાવો…મહારાષ્ટના ખુણે-ખુણાથી મુંબઈ આવેલા ખેડૂતોની શરદ પવારે પ્રશંસા કરી અને જે ખેડૂતોના સમર્થનમાં ઉભા છે તેમની ઉપર શંકા ઉભી કરવા બદલ કેન્દ્રની ટીકા કરી હતી.
એનસીપીના પ્રમુખ શરદ પવારે સોમવારે (25 જાન્યુઆરી) ના રોજ મુંબઈના આઇકોનિક આઝાદ મેદાનમાં હજારો ખેડુતોને સંબોધન કર્યું હતું, જ્યાં 60 દિવસથી દિલ્હીની સરહદે વિરોધ કરી રહેલા ખેડૂતોને ટેકો આપવા માટે ખેડૂત એકઠા થયા હતા. પવારે નાસિકથી મુંબઈ આવવા માટે ખેડૂતોની પ્રસંશા કરી હતી અને જે લોકોના સમર્થનમાં ઉભા છે તેમની સામે શંકા ઉભી કરવા માટે કેન્દ્રની ટીકા કરી હતી.

 

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સાથેજ રૈલીનું સંબોધન કરતા પવારે કહ્યું  કે- “અમે છેલ્લા 60 દિવસથી જોયું છે કે, ઠંડી, સૂર્ય અથવા વરસાદની પરવા કર્યા વિના, યુપી, હરિયાણા અને પંજાબના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તેઓ (કેન્દ્ર) કહે છે કે આ પંજાબના ખેડૂત છે. શું પંજાબ પાકિસ્તાન છે? તેઓ “આપણા પોતાના છે.”

 

પવારે દાવો કર્યો હતો કે પંજાબ, હરિયાણા અને દેશના અન્ય ભાગોમાંથી હજારો ખેડૂત વિરોધ કરી રહેલા ત્રણ કૃષિ કાયદાને સંસદમાં બહુ ચર્ચા કર્યા વિના પસાર કરવામાં આવ્યા હતા. એનસીપી સુપ્રીમોના મતે કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર વિપક્ષની માંગને ખેતીના કાયદા અંગે ચર્ચા કરવા દેતી નહોતી.

Published On - 11:36 pm, Mon, 25 January 21

Next Article