હું નવાઝ શરીફને મળવા નહતો ગયો, PM Modi સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ આપ્યો જવાબ

પીએમ મોદી(PM Modi) સાથેના સંબંધો અને મુલાકાત અંગે પૂછેલા સવાલનો ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ જવાબ આપ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'અમે રાજકીય રીતે એક સાથે ન હોવા છતાં, એનો અર્થ એ નથી કે અમારો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. હું કોઈ નવાઝ શરીફને મળવા ન હતો ગયો. તેથી જો હું તેમને વ્યક્તિગત રૂપે મળું તો તેમાં કંઈપણ ખોટું નથી.

હું નવાઝ શરીફને મળવા નહતો ગયો, PM Modi સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ આપ્યો જવાબ
ઉદ્ધવ ઠાકરેની પીએમ મોદી સાથે મુલાકાત
Follow Us:
| Updated on: Jun 08, 2021 | 4:40 PM

દિલ્હીમાં પીએમ મોદી(PM Modi)ને તેમની ટીમ સાથે મળવા પહોંચેલા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ કહ્યું છે કે તેમના સંબંધો તૂટી નથી ગયા. પીએમ મોદી સાથેના સંબંધો અને મુલાકાત અંગે પૂછેલા સવાલનો ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘અમે રાજકીય રીતે એક સાથે ન હોવા છતાં, એનો અર્થ એ નથી કે અમારો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. હું કોઈ નવાઝ શરીફને મળવા ન હતો ગયો. તેથી જો હું તેમને વ્યક્તિગત રૂપે મળું તો તેમાં કંઈપણ ખોટું નથી.

મરાઠા કવોટા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે દૂર કરવા કેન્દ્ર સરકારની દખલ કરવાની માંગ

મંગળવારે બપોરે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પીએમ (PM Modi)  મોદીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. આ દરમ્યાન તેમણે મરાઠા કવોટા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે દૂર કરવા કેન્દ્ર સરકારની દખલ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત ઓબીસી અનામત, જાતિ વસ્તી ગણતરી અને મરાઠીને ક્લાસિકલ ભાષાનો દરજ્જો આપવાની માંગ પણ કરવામાં આવી હતી.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

આ મુલાકાત દરમ્યાન સીએમ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સાથે ડેપ્યુટી સીએમ અજિત પવાર, કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ચવ્હાણ પણ હાજર હતા. આ બેઠક દરમિયાન મહારાષ્ટ્રના નેતાઓએ પણ પીએમ નરેન્દ્ર મોદીની સામે જીએસટી વળતરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

અનામતની 50 ટકા મર્યાદા નાબૂદ કરવા માટે દરમિયાનગીરીની માંગ 

પીએમ મોદી(PM Modi)ને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ કહ્યું, ‘અમે વડા પ્રધાન સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે અમને ખાતરી આપી છે. આ સિવાય અમે કાર શેડ માટે કંજુર માર્ગ પ્લોટ ટ્રાન્સફર કરવાની વિનંતી પણ કરી છે. જ્યારે કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કહ્યું કે અમે પીએમ મોદીને અપીલ કરી છે કે અનામતની 50 ટકા મર્યાદા નાબૂદ કરવા માટે દરમિયાનગીરી કરવી જોઇએ. અમે પીએમને વિનંતી કરી છે કે કેન્દ્ર સરકારે આ અંગે કોર્ટમાં જવું જોઈએ. 50 ટકા મર્યાદાને કારણે ઘણા પ્રકારના આરક્ષણોને અસર થાય છે.

જીએસટી વળતરના 24,306 કરોડ રૂપિયા મુક્ત કરવાની માંગ

કોંગ્રેસ નેતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે ઓબીસી અનામત અંગે નિર્ણય લેવાની સત્તા છે. અમને આશા છે કે કેન્દ્ર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે. તે જ સમયે, ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે અમે પીએમ નરેન્દ્ર મોદી પાસે જાતિ વસ્તી ગણતરી કરવા માંગ કરી છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યને જીએસટી વળતરના 24,306 કરોડ રૂપિયા મુક્ત કરવાની માંગ પણ કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરે આજે સવારે મહારાષ્ટ્રથી તેમના સાથીદારો સાથે દિલ્હી જવા રવાના થયા હતા. આ પૂર્વે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ અપીલ કરી હતી કે મરાઠા અનામતને પુન: સ્થાપિત કરવા કેન્દ્ર સરકારે દખલ કરવી જોઇએ.

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">