AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદની એક કોલેજના વાર્ષિકોત્સવમાં જીજ્ઞેશ મેવાણીને આમંત્રણ આપવાથી સર્જાયો વિવાદ, આખરે કોલેજે કરવો પડ્યો કાર્યક્રમ રદ્દ

અમદાવાદમાં જીજ્ઞેશ મેવાણીને લગતો વધુ એક વિવાદ સર્જાયો છે. ના, આ વખતે જીજ્ઞેશ મેવાણીના કોઈ વિવાદાસ્પદ નિવેદનને લઈને નહીં, પરંતુ એક કાર્યક્રમમાં જીજ્ઞેશને આમંત્રણ અપાતા વિવાદ સર્જાયો છે. આ ઘટના છે અમદાવાદમાં આવેલી એચ કે આર્ટ્સ કોલેજની. આજે એટલે કે સોમવારે આ કોલેજના વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આખરે છેલ્લી ઘડીએ તેને રદ્દ કરવામાં […]

અમદાવાદની એક કોલેજના વાર્ષિકોત્સવમાં જીજ્ઞેશ મેવાણીને આમંત્રણ આપવાથી સર્જાયો વિવાદ, આખરે કોલેજે કરવો પડ્યો કાર્યક્રમ રદ્દ
Follow Us:
| Updated on: Feb 11, 2019 | 5:29 AM

અમદાવાદમાં જીજ્ઞેશ મેવાણીને લગતો વધુ એક વિવાદ સર્જાયો છે. ના, આ વખતે જીજ્ઞેશ મેવાણીના કોઈ વિવાદાસ્પદ નિવેદનને લઈને નહીં, પરંતુ એક કાર્યક્રમમાં જીજ્ઞેશને આમંત્રણ અપાતા વિવાદ સર્જાયો છે.

આ ઘટના છે અમદાવાદમાં આવેલી એચ કે આર્ટ્સ કોલેજની. આજે એટલે કે સોમવારે આ કોલેજના વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આખરે છેલ્લી ઘડીએ તેને રદ્દ કરવામાં આવ્યો છે. અને તેનું કારણ છે જીજ્ઞેશ મેવાણી. આ કાર્યક્રમમાં વડગામના ધારાસભ્ય અને આ જ કોલેજના પૂર્વ વિદ્યાર્થી એવા જીજ્ઞેશ મેવાણીને ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ અપાયું હતું.

પરંતુ એચ કે આર્ટ્સ કોલેજના વિદ્યાર્થી નેતાઓએ જીજ્ઞેશને અપાયેલા આમંત્રણનો વિરોધ કર્યો અને સાથે જ ચીમકી પણ આપી કે જો આ કાર્યક્રમમાં જીજ્ઞેશ આવ્યો તો આ કાર્યક્રમ થવા જ નહીં દઈએ. આખરે કોલેજના ટ્રસ્ટે કોલેજ કેમ્પસના હોલને વાર્ષિકોત્સવ માટે ફાળવવાની ના પાડી દીધી. છેલ્લે પરિસ્થિતિ એવી આવી કે વાર્ષિકોત્સવ જ રદ્દ કરી દેવાયો.

વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
પર્સમાં ચાવી રાખવાથી શું થાય છે? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

આ વિદ્યાર્થી નેતાઓનું કહેવું છે કે જીજ્ઞેશ મેવાણી ભાગલાવાદી છે અને એટલે તેને કોલેજના કાર્યક્રમમાં બોલાવી ન શકાય. એ સમયે કોલેજના ટ્રસ્ટી મંડળે કોલેજના પ્રિન્સિપાલને પત્ર લખી જાણ કરી કે વર્તમાન રાજકીય સંજોગો જોતાં, કોલેજનું હિત જાળવવા વાર્ષિકોત્સવ માટે કોલેજનનો હોલ ફાળવવામાં નહીં આવે.

એચ કે આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ હેમંતકુમાર શાહે કહ્યું,

“વિદ્યાર્થી નેતાઓની આવી ધમકીના પગલે આ નિર્ણય લેવાયો છે. અમારી તો આ કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ રાજકીય પરિસ્થિતિ જોતા આ કાર્યક્રમ માટે હોલ ફાળવવાની ના આવતા અમે વાર્ષિકોત્સવ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.”

[yop_poll id=1297]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">