વિધાનસભાની પેટાચૂંટણીના જંગમાં ભાજપ-કૉંગ્રેસે કોરોનાના નિયમો નેવે મૂકીને જીત માટે એડીચોટીનું જોર લગાવી દીધુ છે. નેતાઓની રેલી અને ચૂંટણી સભાઓમાં સરેઆમ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરની લીંબડી પર પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં કૉંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર, હોદ્દેદારો અને આગેવાનો રેલીમાં જોડાયા. રેલી બાદ જાહેર સભા યોજાઈ, જેમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી દીધા. કેટલાક લોકોએ માસ્ક પહેરવાનું પણ હિતાવહ ન સમજ્યું. કૉંગ્રેસના નેતાઓની હાજરીમાં જ નિયમોનું ઉલ્લંઘન થતું રહ્યું, તેમ છતાં કોઈએ કોઈ જ દરકાર ન લીધી. હવે આ સભાના કારણે કોઈ વ્યક્તિને કોરોના થાય તો તેના માટે જવાબદાર કોણ? તે એક મોટો સવાલ છે.
આ પણ વાંચો: બોટાદ: વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ભાજપના નેતા ગોરધન ઝડફિયાનો ખુલ્લો પડકાર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો