TMC પર દિનેશ ત્રિવેદીના પ્રહાર, કહ્યું બંગાળને અંધારામાં લઈ જશે ભ્રષ્ટાચાર અને હિંસાનું મોડેલ

|

Feb 17, 2021 | 11:22 PM

રાજ્યસભામાં તાજેતરમાં જ રાજીનામાની જાહેરાત કરનારા TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ બુધવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી પર સીધો હુમલો કર્યો અને કહ્યું કે પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષનું મોડેલ 'ભ્રષ્ટાચાર અને હિંસા' હવે કામ નહીં કરે.

TMC પર દિનેશ ત્રિવેદીના પ્રહાર, કહ્યું બંગાળને અંધારામાં લઈ જશે ભ્રષ્ટાચાર અને હિંસાનું મોડેલ

Follow us on

રાજ્યસભામાં તાજેતરમાં જ રાજીનામાની જાહેરાત કરનારા TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ બુધવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી પર સીધો હુમલો કર્યો અને કહ્યું કે પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષનું મોડેલ ‘ભ્રષ્ટાચાર અને હિંસા’ હવે કામ નહીં કરે. તેમણે તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા શરૂ કરેલી ‘બાહરી અને સ્થાનિક’ની ચર્ચાને બંગાળની ઉદારવાદી વિચારધારાની વિરોધી ગણાવી હતી.

 

પૂર્વ રેલ્વે મંત્રીએ પીએમ મોદીની લોકપ્રિયતાની પ્રશંસા કરતાં કહ્યું કે લોકો તેમના નેતૃત્વમાં વિશ્વાસ કરે છે. જોકે, ત્રિવેદીએ તેમની આગામી રાજકીય યોજના અંગે સ્પષ્ટતા કરી ન હતી. ત્રિવેદીએ ગયા શુક્રવારે રાજ્યસભા અને તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી હિંસા અને તેના વિશે કંઈપણ કરવામાં અસમર્થતાને કારણે તેઓ ‘ગૂંગળામણ’ અનુભવે છે તેમ કહ્યું હતું.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

TMCનું હિંસા અને ભ્રષ્ટાચારનું મોડેલ સારું નથી

તેમણે કહ્યું કે, ‘બંગાળમાં આપણે નાયકો અને તેમના આદર્શો વિશે વાત કરીએ છીએ પરંતુ આપણે જે જોયું છે તેનાથી વિપરીત છે. બંગાળમાં હિંસા અને ભ્રષ્ટાચારનું મોડેલ (તૃણમૂલનું) યોગ્ય નથી. આ મોડેલ કાળા દિવસોમાં બંગાળને લઈ જશે. રાજ્યમાં ઘણી સંભાવનાઓ છે. આપણે તે નકામું નથી જોઈ શકતા.’ તેમણે કહ્યું કે રાજ્યમાં જન પ્રતિનિધિ તરીકે જે થઈ રહ્યું છે તેની અવગણના કરી શકતા નથી. ત્રિવેદીએ કહ્યું કે જ્યારે લોકોએ તેમને રાજ્યમાં હિંસાની સંસ્કૃતિ વિશે સવાલ કર્યા, ત્યારે તેઓ શરમ અનુભવતા હતા અને તેણે મારા આત્માને ‘હચમચાવી’ નાખ્યો હતો. હવે સમય આવી ગયો છે કે તૃણમૂલ મોડેલના ભ્રષ્ટાચાર અને હિંસાની સંસ્કૃતિનો અંત લાવીએ.

 

આ પણ વાંચો: તો આ કારણે ચીન સરકારે અટકાવ્યો હતો Jack Maની કંપની આન્ટ ગ્રૂપનો IPO

Next Article