2019 ની ચૂંટણીમાં જીતવા માટે કોંગ્રેસની ડ્રીમ યોજના પર નીતી આયોગે પાણી ફેરવી દીધું, બેઝિક ઈન્કમ ગેરંટી પર ઉઠ્યા સવાલ
લોકસભા ચૂંટણી 2019 માટે રાજકીય પક્ષ લોકોને પોતાની તરફ આકર્ષવાના તમામ પ્રયાસો કરી રહી છે. તમામ વચનો અને વાયદાઓ પર લોકોની નજર રહે છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો તે લોકોને મિનિમમ આવકની ગેરંટી આપશે. જો કે આ વાત સામે વિરોધી પક્ષ કરતાં કેન્દ્રની નીતી આયોગને […]
લોકસભા ચૂંટણી 2019 માટે રાજકીય પક્ષ લોકોને પોતાની તરફ આકર્ષવાના તમામ પ્રયાસો કરી રહી છે. તમામ વચનો અને વાયદાઓ પર લોકોની નજર રહે છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો તે લોકોને મિનિમમ આવકની ગેરંટી આપશે.
જો કે આ વાત સામે વિરોધી પક્ષ કરતાં કેન્દ્રની નીતી આયોગને બેઝિક ઇન્કમની ગેરંટીની વાત શક્ય નથી લાગી રહી. નીતી આયોગના વાઇસ ચેયરમેન રાજીવ કુમારે કહ્યું છે કે, આ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના ‘ગરીબી હટાવો’ નારા સમાન છે. જેમના અનુસાર રાહુલ ગાંધીની ગરીબો માટેની ન્યૂનતમ આવકની ગેરંટીના વચન અકલ્પનિય છે.
આ પણ વાંચો : ઠંડીમાં લાંચમાં માગ્યું AC અને પોલીસ અધિકારીને પરસેવો છૂટી ગયો, જાણો શું છે સમગ્ર ઘટના
રાજીવ કુમારે કહ્યું કે, કોંગ્રેસે તે સમજવાની જરૂર છે તે તેઓ મિનિમમ આવકની ગેરંટી જેવી સ્કિમનો ખર્ચ કેવી રીતે ઉઠાવી શકે છે. મને લાગે છે કે, કોંગ્રેસે દરેક વિવરણો પુરી રીતે અસ્પષ્ટ છોડી દીધી છે અને માત્ર એક વ્યાપક ઘોષણા છે.
[yop_poll id=1288]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]