ગુજરાતની પ્રજાના પાણી, રસ્તા, સિંચાઈની નહેરોના, સૌની યોજના હેઠળ પાણી પુરવઠો આપવાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ગુજરાતની સરકાર નિષ્ફળ જતાં તેની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનું પગલું લેવાની તૈયારી ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને વિપક્ષના નેતા કરી રહ્યા છે.
સરકાર અને સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે 25મી ફેબ્રુઆરીએ કોંગ્રેસ વિધાનસભા પક્ષના ધારાસભ્યોની મળેલી બેઠકમાં ગૃહની કાર્યવાહી દરમિયાન પક્ષપાતી વલણ અપનાવતા ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી સામે પણ તેઓ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માગતા હતા. સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂક્યા પછી નવ દિવસનો સમય રહેવો નિયમાનુસાર જરૂરી છે. દસમાં દિવસે એ અંગે ચર્ચા થાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેમ જ સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવા માટે 21 દિવસનો સમય આપવો જરૂરી છે. 22માં દિવસે તે અંગે ચર્ચા કરવામાં આવે છે. પ્રજાના પ્રશ્નોને ઉકેલવામાં ઉદાસિન ગુજરાત સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે કોંગ્રેસના 20થી વધુ ધારાસભ્યોએ ગાંધીનગરમાં સરકીટ હાઉસમાં મળીને ઊંડાણપૂર્વક ચર્ચા પણ કરી હતી. ત્યારબાદ આ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સમક્ષ રજૂઆત પણ કરી હતી, પરંતુ વિપક્ષના નેતાએ બીજા દિવસે આ અંગે નિર્ણય લેવાની વાત કરીને કોંગ્રેસના ધારાસભ્યોના ઉત્સાહ પર ઠંડું પાણી રેડી દીધું હતું.
સ્પીકર સામે પહેલા દિવસે જ અવિશ્વાસની દરખાસ્ત મૂકવી પડે તેમ હતી. નિયમ મુજબ 21 જેટલા દિવસ આપવા પડે તેમ હોવાથી આ દરખાસ્ત પહેલા દિવસે જ મૂકવી પડે તેમ હતી. તેથી કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો તેમનાથી નારાજ પણ થયા છે. તેની અસર આગામી રાજ્યસભાની ચૂંટણીના પરિણામો પર પણ આવી શકે તેમ છે. અત્યારે રાજ્યસભાની ચાર બેઠકમાંથી બે બેઠક જીતી જવાની કોંગ્રેસના નેતાઓ આશા રાખી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: અમદાવાદ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના, બે કબૂતરોએ વિમાનમાં મચાવ્યું તોફાન
Published On - 5:04 am, Sat, 29 February 20