શુક્રવારે શામ પિત્રોડાએ માંફી માગતા કહ્યું હતું કે ભાષાકીય ગોટાળાના કારણે આ ભૂલ થઇ હતી. પિત્રોડાએ કહ્યું કે શીખ ભાઈઓ બહેનોની લાગણીને દૂભાવવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો અને જો કોઈને લાગણી દુભાઈ હોય તો હું માંફી માંગુ છું.
આ મુદ્દે શુક્રવારે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે સામ પિત્રોડાએ કરેલું નિવેદન સંપૂર્ણપણે તેમનું વ્યક્તિગત નિવેદન હતું તેની સાથે કોંગ્રેસને કોઈ લેવા-દેવા નથી. નેતાઓએ આ પ્રકારની નિવેદનબાજી કરતા ચેતવું જોઈએ. કોંગ્રેસે કહ્યું હતું કે 1984 હોય કે 2002 રમખાણોના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે અને ન્યાય મળવો જોઈએ.
આ અંગે કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલ કર્યો કે હવે તે સામ પિત્રોડા સામે કોઇ કાર્યવાહી કરશે કે કેમ? વડાપ્રધાન મોદીએ આ સામ પિત્રોડાના આ નિવેદનને વખોડીને કહ્યું કે કોંગ્રેસ માટે જીવનનું કોઈ મૂલ્ય નથી, એમના માટે માણસ એ માણસ નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]