સામ પિત્રોડાએ શીખ રમખાણો અંગે કરેલા નિવેદન બદલ માગી માફી! કોંગ્રેસે પણ બચાવ કરતાં કહ્યું કે ‘તે સામ પિત્રોડાનું અંગત નિવેદન’

|

May 10, 2019 | 2:52 PM

આંતરરાષ્ટ્રીય કોંગ્રેસના ઇન્ચાર્જ અને રાહુલ ગાંધીના સલાહકાર સામ પિત્રોડાએ ગુરૂવારે 1984ના શીખ રમખાણો અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે ‘રમખાણો થયા તો થયા’. શુક્રવારે શામ પિત્રોડાએ માંફી માગતા કહ્યું હતું કે ભાષાકીય ગોટાળાના કારણે આ ભૂલ થઇ હતી. પિત્રોડાએ કહ્યું કે શીખ ભાઈઓ બહેનોની લાગણીને દૂભાવવાનો તેમનો કોઈ ઇરાદો  નહોતો અને જો કોઈને લાગણી દુભાઈ […]

સામ પિત્રોડાએ શીખ રમખાણો અંગે કરેલા નિવેદન બદલ માગી માફી! કોંગ્રેસે પણ બચાવ કરતાં કહ્યું કે તે સામ પિત્રોડાનું અંગત નિવેદન

Follow us on

આંતરરાષ્ટ્રીય કોંગ્રેસના ઇન્ચાર્જ અને રાહુલ ગાંધીના સલાહકાર સામ પિત્રોડાએ ગુરૂવારે 1984ના શીખ રમખાણો અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે ‘રમખાણો થયા તો થયા’.

શુક્રવારે શામ પિત્રોડાએ માંફી માગતા કહ્યું હતું કે ભાષાકીય ગોટાળાના કારણે આ ભૂલ થઇ હતી. પિત્રોડાએ કહ્યું કે શીખ ભાઈઓ બહેનોની લાગણીને દૂભાવવાનો તેમનો કોઈ ઇરાદો  નહોતો અને જો કોઈને લાગણી દુભાઈ હોય તો હું માંફી માંગુ છું.

TV9 Gujarati

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

આ મુદ્દે શુક્રવારે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે સામ પિત્રોડાએ કરેલું નિવેદન સંપૂર્ણપણે તેમનું વ્યક્તિગત નિવેદન હતું તેની સાથે કોંગ્રેસને કોઈ લેવા-દેવા નથી. નેતાઓએ આ પ્રકારની નિવેદનબાજી કરતા ચેતવું જોઈએ. કોંગ્રેસે કહ્યું હતું કે 1984 હોય કે 2002 રમખાણોના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે અને ન્યાય મળવો જોઈએ.

આ પણ વાંચો: ભાજપના નેતાઓ સાથે અલ્પેશ ઠાકોરના ફોટા વાયરલ થયા બાદ હવે તેઓ ભાજપના પૂર્વમંત્રી શંકર ચૌધરી સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું!

આ અંગે કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલ કર્યો કે હવે તે સામ પિત્રોડા સામે કોઇ કાર્યવાહી કરશે કે કેમ? વડાપ્રધાન મોદીએ આ સામ પિત્રોડાના આ નિવેદનને વખોડીને કહ્યું કે કોંગ્રેસ માટે જીવનનું કોઈ મૂલ્ય નથી, એમના માટે માણસ એ માણસ નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article