કેબિનેટ પ્રધાન બન્યા બાદ પહેલી વખત માણાવદર પહોંચેલા જવાહર ચાવડાનું ભવ્ય સ્વાગત થયું. જવાહર ચાવડા કેબિનેટ પ્રધાન બનાવતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. માણાવદરમાં યોજાયેલી રેલીમાં કાર્યકરોએ 500 રૂપિયાની નોટોનો વરસાદ કર્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં ટેકેદારો ઉમટી પડ્યા હતા.
મહત્વનું છે કે, માણાવદરના જવાહર ચાવડા શુક્રવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ શનિવારે કેબિનેટ પ્રધાનના શપથ લીધા હતા. કેબિનેટ પ્રધાન બનતા તેમના કાર્યકરો અને ટેકેદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ જવાહર ચાવડા જ્યારે મંત્રી બનીને પરત પોતાના વિસ્તાર માણાવદર પહોંચ્યા હતા ત્યારે કાર્યકર્તાઓએ તેમને આવકારભેર વધાવી લીધા હતાં.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]