બુધવારના રોજ યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણાંબધાં નિર્ણયો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર સાથે ગિરિરાજ સિંહ અને રાજેન્દ્રીસિંહે પણ આ બેઠકમાં હાજરી આપી હતી.
ક્યાં ક્યાં નિર્ણયો કરવામાં આવ્યા?
1. સરકારી બેંક અર્બન કે મલ્ટી કો-ઓપરેટિવ બેંક માટે એક અધ્યાદેશ પારિત કરવામાં આવ્યો છે. આ અધ્યાદેશ મુજબ દેશની 1540 બેંક આરબીઆઈના સુપરવિઝનમાં આવી જશે. આથી રોકાણકારોનો ભરોસો વધશે અને તેમના પૈસા સુરક્ષિત રહેશે. આ 1540 બેંકના કુલ 60 લાખ ગ્રાહક છે.
2. અત્યારસુધીમાં 18થી 20 કરોડ લોકોને મુદ્રા લોન આપવામાં આવી છે. શિશુ યોજનામાં પણ 9 કરોડ 37 લાખ લોકોને લોન આપવામાં આવી છે. તેઓને 2 ટકાના વ્યાજમાફી પણ આપવાનો નિર્ણય સરકારે કર્યો છે.
3. ઉત્તરપ્રદેશ સ્થિત કુશીનગર એરપોર્ટનું કાર્ય ઝડપથી પૂર્ણ કરી તેને શરૂ કરવામાં આવશે. 3 કિલોમીટરની એરસ્ટ્રીપ બની ગઈ છે અને અન્ય કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
4. કોરોનાની મહામારીના લીધે ઓબીસી કમીશનની મુદતમાં 6 મહિનાનો વિસ્તાર આપવામાં આવ્યો છે. ઓબીસીમાં સબ કેટેગરાઈઝેશનની પ્રક્રિયામાં 6 મહિનાની વધારે રાહત આપવામાં આવી છે.
5. કેન્દ્રીય મંત્રીમંડળે પશુપાલન, ડેયરી અને મત્સ્યપાલન માટે 15 હજાર કરોડ રુપિયાની ફાળવણી કરી છે. લાભાર્થીઓને વધારાની 3 ટકા વ્યાજની રાહત આપવામાં આવશે.
6. એક નવી જ સંસ્થા બનાવવામાં આવી છે. આ સંસ્થાને ઈન્ડિયન નેશનલ સ્પેસ, પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર નામ આપવામાં આવ્યું છે. આ સંસ્થા અંતરિક્ષ ગતિવિધિમાં ખાનગી સંસ્થાનું માર્ગદર્શન કરશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 11:34 am, Wed, 24 June 20