મરાઠા અનામતને લઈને કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવી દીધો છે. બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામતને હટાવી નથી. સરકાર દ્વારા 16 ટકા અનામત આપવામાં આવી હતી. જો કે કોર્ટે આ બાબતે ટિપ્પણી કરીને કહ્યું કે 16 ટકા અનામત તો સંભવ નથી પણ 12થી 13 ટકા આપી શકાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનને લઈને સરકારે 16 ટકા અનામત આપી હતી અને તેને લઈને આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી. કોર્ટે અનામત રદ કર્યા વિના ટિપ્પણી કરી છે કે સરકાર વિશેષ સંજોગોમાં 50 ટકાથી વધારે અનામત આપી શકે છે. સરકારે જે 16 ટકા અનામત આપી છે તે શક્ય નથી પણ 12થી 13 ટકા અનામત આપવી શક્ય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આમ મરાઠા અનામત આંદોલનનો હવે અંત આવી શકે છે તેવું કોર્ટની ટિપ્પણી દ્વારા લાગી રહ્યું છે. કોર્ટે પણ વિશેષ પરિસ્થિતિમાં આપવામાં આવેલી અનામતને માન્ય ગણાવી છે.
આ પણ વાંચો: લુધિયાણાની સેન્ટ્રલ જેલમાં પોલીસ અને કેદીઓ વચ્ચે ખેલાયો ખુની ખેલ, જુઓ અથડામણનો આ VIDEO