Gujarati NewsPoliticsBjps most fire brand leader gets loksabha ticket 6th time in a row
ભાજપે ભરૂચથી મનસુખ વસાવાને આપી ટિકિટ પણ વિવાદ અને વસાવા એકબીજાના પૂરક રહ્યા છે !
ભરૂચમાં 5 ટર્મના સાંસદ મનસુખ વસાવા એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખાય છે. પરંતુ તેમના સ્વભાવે ગત ટર્મમાં સફળતા અને નિષ્ફળતા બંનેના સ્વાદ ચખાડ્યાં છે. છઠ્ઠીવાર ઉમેદવારી કરવા જઈ રહેલા મનસુખ વસાવાનો વિવાદ હવે પીછો છોડે છે કે નહિ તે ઉપર સૌની નજર છે. ક્યાંક દારૂ અંગે મજાક, શિક્ષકો અંગે વિવાદિત નિવેદન, અને સરકારી અધિકારીઓની […]
ભરૂચમાં 5 ટર્મના સાંસદ મનસુખ વસાવા એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખાય છે. પરંતુ તેમના સ્વભાવે ગત ટર્મમાં સફળતા અને નિષ્ફળતા બંનેના સ્વાદ ચખાડ્યાં છે. છઠ્ઠીવાર ઉમેદવારી કરવા જઈ રહેલા મનસુખ વસાવાનો વિવાદ હવે પીછો છોડે છે કે નહિ તે ઉપર સૌની નજર છે.
ક્યાંક દારૂ અંગે મજાક, શિક્ષકો અંગે વિવાદિત નિવેદન, અને સરકારી અધિકારીઓની વિકૃત માનસિકતા હોવાની વાત આવા નિવેદનોએ મનસુખ વસાવાને સતત ચર્ચાઓ અને વિવાદમાં રાખ્યા હતા. તેમને પ્રધાન પદેથી પણ પડતા મુકવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ યોગેશ પટેલનું માનવુ છે કે વિવાદમાં રહેવું તેમનો સ્વભાવ છે પણ તે કોઈ પણ વાત, રજૂઆત કે વિરોધ સ્પષ્ટ અને મોં ઉપર કહેવાની આદત ધરાવે છે.
મોંઘી ગાડીઓ, લક્ઝરી બેગ, નાની ઉંમરે કરોડોની માલિક છે અનુષ્કા સેન
Plant In Pot : છોડમાં ખાતર નાખતી વખતે આ બાબતનું રાખો ધ્યાન
ફક્ત એક ક્લિકથી બદલાઈ જશે Whatsapp વોલપેપર, આટલું હશે અદ્ભુત
મનસુખ વસાવાનું વિવાદ મામલે કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પારદર્શક વહીવટમાં માને છે માટે જેને પણ કહેવું તે સીધુ અને સ્પષ્ટ કહેવું જોઈએ અને તે આ આદત છોડવાના નથી. કોઈપણ ભોગે મનની વાત કરવાની આદતના કારણસર વસાવાની ટિકિટ કપાતા રહી ગઈ છે. પરંતુ બીજો મુરતિયો ન મળતા છઠ્ઠી ટર્મની તકે મનસુખ વસવાનું મનોબળ મજબૂત કર્યુ છે ત્યારે હવે મનસુખ વસવાનો વિવાદ પીછો છોડે છે કે નહિ તે જોવુ રહ્યું.