‘નરેન્દ્ર મોદી નહીં તો તેમનો ફોટો પણ ચાલશે’, ગુજરાતમાં 26 બેઠકો જીતવા ભાજપ 1 કરોડ જેટલા વડાપ્રધાન મોદીની સહી સાથે લખેલાં પત્રો વહેંચશે!
ભાજપ હવે રાજ્યમાં રેકોર્ડ માર્જીન જીત માટે એક તરફ વિસ્તારકોની સક્રિયતા વધારી રહી છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ર પણ વહેંચી રહી છે. પાર્ટી જે પત્રો વહેંચી રહી છે તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારત કે મન કી બાત મોદી કે સાથ નામથી ઘરે ઘરે પહોંચાડવામા આવી રહી છે. સુત્રોનું માનીએ તો આવા […]
ભાજપ હવે રાજ્યમાં રેકોર્ડ માર્જીન જીત માટે એક તરફ વિસ્તારકોની સક્રિયતા વધારી રહી છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ર પણ વહેંચી રહી છે.
પાર્ટી જે પત્રો વહેંચી રહી છે તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભારત કે મન કી બાત મોદી કે સાથ નામથી ઘરે ઘરે પહોંચાડવામા આવી રહી છે. સુત્રોનું માનીએ તો આવા એક કરોડથી વધુ પત્રો ઘરે મોકલાશે.
નરેન્દ્ર મોદીના 1 કરોડથી વધારે પત્રોનું વિતરણ
ગુજરાતની કોઇ લોકસાભ સીટ ઉપરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડ તેવી સંભાવના લગભગ હવે નહીવત છે. પ્રદેશ ભાજપે આ વાતનો પણ તોડ પણ શોધી કાઢ્યો છે. ભાજપે શરુ કરેલી વિસ્તાર યોજના અને ઘર ઘર સંપર્ક યોજનામાં મતદારોના ઘરે સ્ટીકર તો લગાવવામાં આવી રહ્યાં છે સાથે એક પત્ર પણ આપવામાં આવી રહ્યો છે. પત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે અને ગુજરાતીમાં તેમની સહી પણ છે, પત્રમાં ભારત સરકારની ઉપલબ્ધીઓ તો લખાયેલી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પોતાની વાત પણ લખી છે. આ પ્રકારના એક કરોડથી વધુ પત્રો ઘર ઘર પહોંચાડવાનુ આયોજન ભાજપે કર્યું છે.
શું લખ્યું છે પત્રમાં?
દેશના એક એક વ્યક્તિની નવી અપેક્ષાઓ અને નવી આંકાક્ષાઓ પુર્ણ કરવા માટે નવી ઉર્જા સાથે આગળ વધવા માટે હું તૈયાર છું. જેટલી મહેનત અત્યારે કરી રહ્યો છું અને હું પ્રયત્ન કરીશ કે આનાથી પણ વધારે મહેનત કરીને આપની અપેક્ષાઓ ઉપર ખરો ઉતરું. ઉપરાંત પત્રમાં નવા ભારતની વાત સાથે સરકારની ઉપલ્બધિઓ પણ ગણાવવામાં આવી છે.
RSS પેટર્ન પણ વિસ્તારક યોજના
ભાજપની વિસ્તાર યોજના સંઘના પ્રચારની યોજનાથી પ્રભાવિત છે. પહેલાં આ કામ સંઘના સ્થાનિક સ્વયં સેવકો કરતા હતા. એ વખતે તેઓ સીધી રીતે ભાજપનો પ્રચાર કરી શકતા નહતા પણ સમયાંતરે ભાજપે પોતાના વરિષ્ઠોને અને બીજા પ્રકલ્પોના કાર્યકર્તાઓને વિસ્તારકો તરીકે તૈયાર કર્યા. ભાજપને લાગ્યું કે સંઘ જે કરશે તેનો ફાયદો તો પાર્ટીને મળશે પણ ભાજપના કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપર જઈને ભાજપના સિમ્બોલ ઉપર પ્રચાર કરશે.
હાલ રાજ્યમાં જિલ્લા દીઠ એક હજારથી વધુ વિસ્તારકો થકી સાથે જનસંપર્ક થકી ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે ત્યારે 26મીએ ગાંધીનગરમાં યુપીના CM પોતે જ ગુજરાત આવી રહ્યાં છે. યોગીની આગમનથી આ યોજનાને વધુ વેગ મળશે જેના માટે પાર્ટી તડામાર તૈયારી કરી રહી છે.
મોદી, યોગી અને શાહના ભરોસે ગુજરાત ભાજપ
ભાજપે નિશ્ચિત રણનીતિ સાથે ગુજરાતમાં એક તરફ મતદારોના ફાટોવાળા પત્ર થકી વડા પ્રધાનનો સંદેશ મતદારો સુધી પહોચાડી રહ્યાં છે તો યુપીના સીએમ યોગી આદિત્યનાથને લાવીને હિન્દુત્વની લહેર જગાડવામાં માગે છે. તે સિવાય ભાજપની ચાણક્યની સંગઠન શક્તિની રણનીતિ એમ ત્રણેયની યુતિ કરીને ભાજપે ગુજરાતમાં 26 સીટો ઉપર જીત માટે બમ્પર રેકોર્ડ કરવાનુ આયોજન કર્યુ છે. ભાજપના આ નવા અભિયાનને કેટલી સફળતા મળે છે તે મતદારો જ નક્કી કરશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]