AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મહેનત યથાવત્, પરિણામ માટે કરવો પડશે આટલો ઈન્તઝાર

સરકાર બનાવવા માટે મહારાષ્ટ્રમાં મહેનત તો ચાલી રહી છે પરંતુ પરિણામ આવતું નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓ મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. અને NCP સાથે કોંગ્રેસે સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જે બાદ ઉદ્ધવ ઠાકરે પણ પોતાના ધારાસભ્યોને મળવા માટે હોટલ રિટ્રિટ પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની મુલાકાત બાદ મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં મુલાકાત અંગે માહિતી […]

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મહેનત યથાવત્, પરિણામ માટે કરવો પડશે આટલો ઈન્તઝાર
| Updated on: Nov 12, 2019 | 5:00 PM
Share

સરકાર બનાવવા માટે મહારાષ્ટ્રમાં મહેનત તો ચાલી રહી છે પરંતુ પરિણામ આવતું નથી. ત્યારે કોંગ્રેસના નેતાઓ મહારાષ્ટ્ર પહોંચ્યા હતા. અને NCP સાથે કોંગ્રેસે સંયુક્ત પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જે બાદ ઉદ્ધવ ઠાકરે પણ પોતાના ધારાસભ્યોને મળવા માટે હોટલ રિટ્રિટ પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની મુલાકાત બાદ મીડિયાને સંબોધન કર્યું હતું. જેમાં મુલાકાત અંગે માહિતી આપી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાષ્ટ્રપતિ શાસનની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિ શાસન નડતરરૂપ નથી. બસ સમય સાથે ધીરજતા રાખવાની જરૂર છે. રાજ્યમાં શિવસેનાની સરકાર બનાવવામાં કોઈ રોક લાવી શકે નહીં.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ કોંગ્રેસ અને NCPની સંયુક્ત પત્રકાર પરિષદ, શિવસેનાને સમર્થન અંગે કર્યો આ ખુલાસો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે, આગામી 5 દિવસોમાં ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના ગામડાઓમાં પહોંચવાના છે. જ્યાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના નુકસાનનું નિરીક્ષણ કરશે. સાથે જણાવ્યું કે, તેઓ આ મુદ્દાને ઝડપથી નિવારણ લાવી દેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">