શું MPમાં થઈ રહી છે તખ્તાપલટની તૈયારી ? કયો કૉંગ્રેસ નેતા કમલનાથની ખુરશી સામે બની રહ્યો છે ખતરો ?

મધ્ય પ્રદેશમાં પાતળી બહુમતી સાથે સત્તામાં આવેલા મુખ્યપ્રધાન કમલનાથને શું તખ્તાપલટનો ભય સતાવી રહ્યો છે ? મુખ્યપ્રધાન કમલનાથે પોતે આ વાત એક મીડિયા સાથેની વાતચીતમાં કહી છે. કમલનાથે આરોપ લગાવ્યો, ‘ભાજપ મધ્ય પ્રદેશમાં ઑપરેશન લોટસનો પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપે કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોનો સંપર્ક કરી તેમને પ્રલોભન આપવાનો પ્રયત્ન કર્યો. આ ધારાસભ્યોએ મને ભાજપની આ […]

શું MPમાં થઈ રહી છે તખ્તાપલટની તૈયારી ? કયો કૉંગ્રેસ નેતા કમલનાથની ખુરશી સામે બની રહ્યો છે ખતરો ?
Follow Us:
| Updated on: Jan 22, 2019 | 11:29 AM

મધ્ય પ્રદેશમાં પાતળી બહુમતી સાથે સત્તામાં આવેલા મુખ્યપ્રધાન કમલનાથને શું તખ્તાપલટનો ભય સતાવી રહ્યો છે ?

મુખ્યપ્રધાન કમલનાથે પોતે આ વાત એક મીડિયા સાથેની વાતચીતમાં કહી છે. કમલનાથે આરોપ લગાવ્યો, ‘ભાજપ મધ્ય પ્રદેશમાં ઑપરેશન લોટસનો પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપે કૉંગ્રેસના પાંચ ધારાસભ્યોનો સંપર્ક કરી તેમને પ્રલોભન આપવાનો પ્રયત્ન કર્યો. આ ધારાસભ્યોએ મને ભાજપની આ કવાયત અંગે માહિતી આપી છે. ભાજપ કૉંગ્રેસના ધારાસભ્યો તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જેથી તે મધ્ય પ્રદેશમાં સરકાર બનાવી શકે.’

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નોંધનીય છે કે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસની કમલનાથ સરકારને ખૂબ જ પાતળી બહુમતી છે, કારણ કે વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને જરૂરી 116 બેઠકો નહોતી મળી. તેને 114 બેઠકો જ મળી હતી. કમલનાથ સરકાર બીએસપીના 2, એસપીના 1 અને 4 અપક્ષ ધારાસભ્યોના ટેકાથી ચાલી રહી છે.

બીજી બાજુ ભાજપના 109 ધારાસભ્યો છે અને જો તે 7 ધારાસભ્યોની વ્યવસ્થા કરી લે, તો મધ્ય પ્રદેશમાં તખ્તાપલટ કરી શકાય. એટલા માટે જ કમલનાથને પોતાની સરકારના તખ્તાપલટનો ભય હોય, તેવું તેમના આરોપો પરથી લાગે છે.

સિંધિયા સક્રિય ? કેમ મળ્યા શિવરાજને ?

મુખ્યપ્રધાન કમલનાથનો ભય અકારણે નથી. મધ્ય પ્રદેશમાં મુખ્યપ્રધાન પદની રેસમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હતાં, પરંતુ હાઈકમાંડે કમલનાથની પસંદગી કરી. કહેવાય છે કે સિંધિયા આ વાતથી નારાજ ચાલી રહ્યા છે.

દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સોમવારે રાત્રે અચાનક પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપ નેતા શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ મધ્ય પ્રદેશનો રાજકીય માહોલ ગરમાઈ ગયો.

સિંધિયા-શિવરાજે 40 મિનિટ સુધી બંધ બારણામાં વાતચીત કરી અને બંને એક સાથે પત્રકારો સામે આવ્યાં. બંનેએ આ મુલાકાતની સૌજન્ય મુલાકાત ગણાવી.

પરંતુ રાજકીય વિશ્લેષકો સિંધિયા-શિવરાજની મુલાકાતને રાજકીય ચશ્માથી જોઈ રહ્યા છે. તેમને લાગે છે કે બંને નેતા મધ્ય પ્રદેશના રાજકારણમાં કંઇક નવા-જૂની કરી શકે છે.

[yop_poll id=740]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”“]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">