બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળે ટીવીનાઈન સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખેડૂતોને ઉપજના ભાવ ઘણા ઓછા મળે છે, તેની સામે ખેતીના ખર્ચમાં ડીઝલ, ખાતર, બિયારણના ખર્ચ ઘણા મોંઘા છે. તેથી ખેડૂતોને ઉપજના સારા ભાવના મળતા ખેડૂતો નારાજ છે. જેનો લાભ મને મળવાનો છે. રોડ, વિજળી, પાણીનો પ્રશ્નથી ખેડૂતો પશુપાલન, ખેતીમાં દુખી છે. શાળામાં પૂરતા કલાસરૂમની વ્યવસ્થા નથી, શિક્ષકો નથી તેથી જે શિક્ષણ બાળકોને મળવુ જોઈએ તે મળતુ નથી.
તે સિવાય ભાજપે જે યોજના દાખલ કરી હતી તેના જુઠાણા ચલાવ્યા છે, તેનો કોઈ લાભ ખેડૂતોને મળ્યો નથી. રૂપિયા 15 લાખ આપવાની વાત કરી હતી તેમાંથી એક રૂપિયા પણ મળ્યો નથી. GST અને નોટબંધી લાવીને નાના વેપારીઓ અને ગામડામાં ખેડૂતો ખૂબ દુખી થયા આ તમામ પ્રશ્નો ગામડાના લોકોના છે. તેનો સીધો લાભ મને મળશે.
તેમને વધુમાં જણાવ્યું કે, હું કોંગ્રેસમાં જોડાયો તે વિચારસરણીનો સવાલ છે. મારો દિકરો પહેલા ભાજપની અંદર હતો, હું કોંગ્રેસનો માણસ છુ. હું સેવાદળનો સૈનિક હતો. તેની તાલીમ પણ મે લીધી છે. હું કોંગ્રેસના વિચારો સાથે ક્યારેય સહમત હતો જ નહિ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]