રામ મંદિર અને બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ…આ તારીખે SC સંભળાવશે ચુકાદો
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. હવે 23 દિવસમાં ચુકાદો આવશે. અંદાજીત 8 કે 10 નવેમ્બર સુધી ચુકાદો આવી શકે છે. ત્યારે અમારા સંવાદદાતાએ અયોધ્યામાં હનમાનગઢીના સાધુ સંતો તેમજ ત્યાના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી. સાધુ, સંતોનું માનવું છે કે, ચુકાદો તેમના તરફી જ આવવાનો છે. અને જો કદાચ ક્યાંય ઢીલ રહેશે તો તે […]
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. હવે 23 દિવસમાં ચુકાદો આવશે. અંદાજીત 8 કે 10 નવેમ્બર સુધી ચુકાદો આવી શકે છે. ત્યારે અમારા સંવાદદાતાએ અયોધ્યામાં હનમાનગઢીના સાધુ સંતો તેમજ ત્યાના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી. સાધુ, સંતોનું માનવું છે કે, ચુકાદો તેમના તરફી જ આવવાનો છે. અને જો કદાચ ક્યાંય ઢીલ રહેશે તો તે સરકાર પૂર્ણ કરી દેશે તેવો તેમને વિશ્વાસ છે. સ્થાનિક લોકોનું પણ માનવું છે કે, હવે મંદિર બનીને જ રહેશે. અને આ માટે તેમણે તૈયારીઓ પણ કરી લીધી છે. મહત્વનું છે કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિવૃત્ત થશે. તેમની નિવૃત્તિ પહેલા જ આ મામલાનો ચુકાદો આવી શકે છે.
આ પણ વાંચોઃ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાના ઉમેદવારો માટે ખૂશ ખબર…રદ થયેલી પરીક્ષા આ તારીખે યોજાશે
જાણો કયા મામલે CJI થયા નારાજ
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને છેલ્લી સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ દ્વારા રજૂ થયેલા નકશાને ફાડી નાખ્યો હતો. આ મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પ્રતિક્રિયા આપી છે. રંજન ગોગોઈએ કહ્યું કે, આ રીતે કોર્ટમાં સુનાવણી ન થઈ શકે. અન્ય પક્ષકારના વકીલોની દલીલ વચ્ચે બીજા વકીલો ઉભા થઈને બોલવા લાગે છે. અમે પણ ઉભા થઈ શકીએ છીએ. અને સુનાવણી પુરી કરી શકીએ છીએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો