મુંબઈમાં NCP કોર કમિટીની બેઠક પુરી થઈ ચુકી છે. બેઠકમાં NCP નેતા નવાબ મલિકે કહ્યું કે કોંગ્રેસના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ જ પોતાનો નિર્ણય લઈશું. કોંગ્રેસ સાથે આવ્યા વગર કોઈ વિકલ્પ બની શકશે નહીં. તેથી કોંગ્રેસના નિર્ણય પછી જ અમે અમારો નિર્ણય લઈશું. નવાબ મલિકે કહ્યું કે અમારી પાર્ટી વૈકિલ્પક સરકાર બનાવવા માટે તૈયાર છે પણ કોંગ્રેસ સાથે ચર્ચા પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના ચૂંટણી પ્રભારી મલ્લિકાર્જૂન ખડેગેએ વર્કિગ કમિટીની બેઠક પછી જણાવ્યું કે મીટિંગમાં મહારાષ્ટ્ર પર વિસ્તારથી ચર્ચા થઈ છે. આગળની ચર્ચા માટે મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને 4 વાગ્યે એક વખત ફરી બેઠક થશે અને નિર્ણય લેવામાં આવશે. સાથે જ મલ્લિકાર્જૂન ખડગેએ તમામ ધારાસભ્યોના હસ્તાક્ષરવાળા પત્ર સોનિયા ગાંધીને સોંપી દીધા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો