અખિલેશ યાદવે લખનઉમાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મોદી સરકારને આ વિનમ્ર અરજ કરી. હાલમાં પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. તેનો હવાલો આપતાં અખિલેશે કહ્યું કે કુંભ દરમિયાન દાન કરવાથી મોદી સરકારને બહુ પુણ્ય મળશે.
તમે પણ સાંભળો કે અખિલેશ યાદવે શું કહ્યું ? નીચે આપેલા વીડિયોમાં 08.10 – 08.57 મિનિટ દરમિયાન અખિલેશ યાદવ દાનમાં કિલ્લો માંગી રહ્યા છે.
અખિલેશ યાદવ જે કિલ્લાની વાત કરી રહ્યા છે, તે છે અલ્હાબાદ કિલ્લો. ભલે અલ્હાબાદનું નામ હવે પ્રયાગરાજ થઈ ગયું છે, પરંતુ ત્યાં આજે પણ અલ્હાબાદ કિલ્લો છે.
અલ્હાબાદ કિલ્લો 436 વર્ષ જૂનો છે. અખિલેશ યાદવે કેમ આ કિલ્લાની માંગણી કરવી પડી, કારણ કે આ કિલ્લાનો કેટલોક જ ભાગ ટૂરિસ્ટો જોઈ શકે છે. બાકીના ભાગનો ઉપયોગ ભારતીય સેના કરે છે. આ કિલ્લામાં ત્રણ મોટી ગૅલેરી છે કે જેના પર ઊંચી મીનારો છે. સહેલાણીઓને માત્ર અશોક સ્તંભ, સરસ્વતી કૂપ અને જોધાબાઈ મહેલ જોવાની જ મંજૂરી છે. આ કિલ્લો મોઘલ સમ્રાટ અકબરે 1853માં બંધાવ્યો હતો.
અખિલેશ યાદવ ઇચ્છે છે કે આ કિલ્લો યૂપી સરકારને મળી જાય, તો ટૂરિસ્ટ અલ્હાબાદના કિલ્લાને સંપૂર્ણપણે જોઈ શકે.
[yop_poll id=726]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:37 pm, Mon, 21 January 19