અહેમદ પટેલના અવસાનથી દેશની રાજનીતિને મોટી ખોટઃ ભાજપ
કોગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધનથી દેશની રાજનિતીને જ નહી ગુજરાતને પણ મોટી ખોટ પડી હોવાનું ભાજપના પ્રદેશ પ્રમુખે જણાવ્યુ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યુ કે, બાબુભાઈના હુલામણા નામે ભરૂચ પંથકમાં જાણીતા અહેમદ પટેલની ભરૂચ જિલ્લામાં રાજકીય પકડ બહુ મજબૂત હતી. રાજીવ ગાંધીને પણ ભરૂચમાંથી ચૂંટણી લડાવીને જીતાડવાની તૈયારી […]
Follow us on
કોગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધનથી દેશની રાજનિતીને જ નહી ગુજરાતને પણ મોટી ખોટ પડી હોવાનું ભાજપના પ્રદેશ પ્રમુખે જણાવ્યુ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યુ કે, બાબુભાઈના હુલામણા નામે ભરૂચ પંથકમાં જાણીતા અહેમદ પટેલની ભરૂચ જિલ્લામાં રાજકીય પકડ બહુ મજબૂત હતી. રાજીવ ગાંધીને પણ ભરૂચમાંથી ચૂંટણી લડાવીને જીતાડવાની તૈયારી બતાવી હતી. અહેમદ પટેલના નિધનથી દેશની રાજનિતીને બહુ મોટી ખોટ પડી હોવાનું જણીને સી આર પાટીલે દુખ વ્યક્ત કર્યુ હતુ. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ સહીત ગુજરાત ભાજપના અનેક નેતાઓ, અગ્રણીઓએ, અહેમદ પટેલના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.