અમદાવાદ મનપાની બોર્ડ બેઠક હોબાળાસભર રહી, વિપક્ષે કોરોનાના મોતના આંકડાઓ અંગે ઉઠાવ્યા સવાલો
અમદાવાદ મનપાની શુક્રવારે મળેલી બોર્ડ બેઠક હોબાળાસભર રહી. બોર્ડ બેઠકમાં વિપક્ષી નેતાએ આક્રોશ સાથે કહ્યું હતું કે, મનપાની હોસ્પિટલોમાં કોના સગાં માટે 800 બેડ રિઝર્વ રાખ્યા છે ? તેનો મેયર જવાબ આપે. શહેરના લોકોને બહારગામની હોસ્પિટલમાં સારવાર માટે કેમ મોકલાય છે? હોસ્પિટલમાં દાખલ કરવાની સત્તા 108ને કેમ સોંપાઇ છે ? આ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરોએ હોબાળો […]
અમદાવાદ મનપાની શુક્રવારે મળેલી બોર્ડ બેઠક હોબાળાસભર રહી. બોર્ડ બેઠકમાં વિપક્ષી નેતાએ આક્રોશ સાથે કહ્યું હતું કે, મનપાની હોસ્પિટલોમાં કોના સગાં માટે 800 બેડ રિઝર્વ રાખ્યા છે ? તેનો મેયર જવાબ આપે. શહેરના લોકોને બહારગામની હોસ્પિટલમાં સારવાર માટે કેમ મોકલાય છે? હોસ્પિટલમાં દાખલ કરવાની સત્તા 108ને કેમ સોંપાઇ છે ? આ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરોએ હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ કોરોનાથી મોતના જાહેર થતાં આંકડાને શંકાસ્પદ ગણાવ્યા હતા. પીપળજ સહિતના વિસ્તારોમાં કાર્યરત 600 ફેક્ટરીઓમાંથી 10 ટકા પાસે જ ફાયર એનઓસી છે. તો બાકી ફેકટરીઓ સામે કેમ પગલાં ભરાતા નથી ? કોંગ્રેસેના સભ્યો રોષ ઠાલવતા રહ્યા અને મેયરે જવાબ આપ્યા વગર જ સભા બરખાસ્ત કરી દીધી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો