BJPના આ સાંસદ પોતે વિમાન ઉડાવીને DMKના સાંસદ દયાનિધિ મારનને લઈ ગયા દિલ્લીથી ચેન્નઈ, જાણો આ રસપ્રદ કિસ્સો
દયાનિધિ મારને કહ્યું કે, માસ્ક પાછળની વ્યક્તિને હું ઓળખી શક્યો નહીં. તેમ છતાં તેનો અવાજ પરિચિત લાગ્યો. મેં માથું હલાવ્યું અને હજી પણ આશ્ચર્ય થાય છે કે તે કોણ હોઈ શકે.
DMKના સાંસદ દયાનિધિ મારને (Dayanidhi Maran) તેમના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. તેમણે આ કિસ્સાનું નામ “અ ફ્લાઇટ ટુ રિમેંબર” રાખ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 13 જુલાઇના રોજ તે દિલ્હીથી ચેન્નાઈના પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે ઈન્ડિગોની ફ્લાઈટ લઇને પોતાની સીટ પર બેઠો. પોતાના ટવીટની એક લાઈનમાં મારને કહ્યું કે, માત્ર ત્યારે જ તેમણે ફ્લાઇટ કેપ્ટનનો અવાજ સાંભળ્યો. કેપ્ટને કહ્યું, ‘તો તમે આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છો.’
A Flight to remember. July 13, 2021
I boarded the Indigo flight 6E864 from Delhi to Chennai after attending a meeting of the parliamentary Estimates Committee. I happened to sit in the first row, as the crew declared that the boarding had completed.
1/7 pic.twitter.com/pwfsW39fDC
— Dayanidhi Maran தயாநிதி மாறன் (@Dayanidhi_Maran) July 13, 2021
મારને કહ્યું કે, માસ્ક પાછળની વ્યક્તિને હું ઓળખી શક્યો નહીં. તેમ છતાં તેનો અવાજ પરિચિત લાગ્યો. મેં માથું હલાવ્યું અને હજી પણ આશ્ચર્ય થાય છે કે તે કોણ હોઈ શકે. તેણે મારી તરફ જોયું અને તેની આંખો માસ્ક પાછળની સ્મિત કરતી હતી. બાદમાં કેપ્ટને કહ્યું, તો પછી તમે મને નથી ઓળખતા!’
વાતને આગળ વધારતા મારને કહ્યું, “ત્યારે મને સમજાયું કે તેઓ મારા સાથી, વરિષ્ઠ સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજીવ પ્રતાપ રૂડી હતા. આ સિવાય તેઓ મારા એક ખૂબ જ સારા મિત્ર પણ છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, અમે ફ્લાઇટમાં પહોંચ્યાના 2 કલાક પહેલા, તે અને હું અનુમાન સમિતિમાં તીવ્ર ચર્ચાના ભાગ હતા. મારને કહ્યું કે ‘રાજકારણીથી પાયલોટ તરીકેના તેમના પરિવર્તનને જોઈને હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતો નથી.’
જ્યારે સાંસદ કોઈ વ્યવસાયિક ફ્લાઇટની કેપ્ટનશિપ કરે છે ત્યારે તે કેટલી વાર થાય છે? મને ખાતરી છે કે હું આ વિશે લાંબા સમય સુધી વાત કરીશ. પોતાના ટ્વિટમાં તેમણે કેપ્ટન રાજીવ પ્રતાપ રૂડીનો (Rajiv Pratap Rudy) દિલ્હીથી ચેન્નઈ સલામત રીતે ઉડાન બદલ આભાર માન્યો હતો. ”