VIDEO: કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ તો મળશે પણ ટીકીટ નહીં..!

|

Jun 27, 2020 | 5:42 AM

રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણી આ અંગે તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. આ ધારાસભ્યો પૈકી આજે પાંચ ધારાસભ્યોનો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રવેશ ઉત્સવ યોજેલ છે.. આ પણ વાંચો: […]

VIDEO: કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ તો મળશે પણ ટીકીટ નહીં..!

Follow us on

રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણી આ અંગે તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હતું. આ ધારાસભ્યો પૈકી આજે પાંચ ધારાસભ્યોનો ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રવેશ ઉત્સવ યોજેલ છે..

આ પણ વાંચો: VIDEO: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોના કેસરિયા ! રાજીનામું આપનારા 5 ધારાસભ્યો આજે ભાજપમાં જોડાઈ શકે છે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોંગ્રેસના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂ, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત અને મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામુ આપી દીધું હતું. જેમાં માર્ચ મહિનામાં કોંગ્રેસના 5 ધારાસભ્યો અને
જૂન મહિનામાં વધુ 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. એટલે કે 15 માર્ચે રાજીનામું આપનારા 4 ધારાસભ્યોની બેઠકો સપ્ટેમ્બર મહિના સુધીમાં ભરવાની રહેશે જેના કારણે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની શક્યતા રહેલી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તે જ કારણે ભાજપ રાજ્યસભાની ચૂંટણી થયા સાથે જ કોંગ્રેસના પૂર્વે ધરાસભ્યોના પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરી દીધો છે. કોંગ્રેસ માંથી રાજીનામુ આપનાર 8 ધારાસભ્યો માંથી માત્ર 5 ધારાસભ્યો ને ભાજપ વિધાનસભા ની પેટાચૂંટણીની ટીકીટ આપશે જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી,ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને મોરબી ધરસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે. જ્યારે ગઢડા વિધાનસભા બેઠક ના ધારાસભ્ય પ્રવીણ મારુના સ્થાને પૂર્વે મંત્રી આત્મારામ પરમાર, લીંબડી વિધાનસભા બેઠક પર સોમા પટેલના સ્થાને કિરીટ સિંહ રાણાને ટિકિટ આપે તેવી શકયતા છે. તો ડાંગ વિધાનસભા બેઠક પર મંગળ ગાવીત જો અપક્ષ ચૂંટણી લડતો ભાજપ તેને સમર્થ કરે તેવી માહિતી પણ ભાજપ સૂત્રો દ્વારા આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને મુખ્ય મંત્રી વિજય રૂપાણી માટે રાજ્યમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણી ખૂબ મહત્વની સાબિત થવાની છે. કારણ કે ભૂતકાળમાં ભાજપને પેટા ચૂંટણીમાં ખૂબ કડવો અનુભવ થયો છે. ત્યારે હવે જોવાનું છે કે કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર આ ધારાસભ્યો નો પ્રવેશ ઉત્સવતો થઈ રહ્યો છે. પરંતુ ગુણોત્સવ કરવો પણ એટલો જ જરૂરી છે.

Next Article