
જો તમે વૃદ્ધત્વના સંકેતોને રોકવા અથવા ઘટાડવા માંગતા હો તો સર્વાંગાસન કરવું પણ ફાયદાકારક છે. આ ત્વચાની રચનાને સુધારે છે. સારા રક્ત પરિભ્રમણને કારણે, ત્વચાને પોષણ મળે છે અને ચહેરો કુદરતી રીતે ચમકતો બને છે. આ યોગાસન થાઇરોઇડ ગ્રંથિને સ્વસ્થ રાખવામાં અને પાચન, પ્રજનન તંત્ર, ચેતાતંત્ર (મગજ), આંખો વગેરે માટે પણ ફાયદાકારક છે. (Pic: Pexels)

યોગાસનોની શરૂઆત પ્રાણાયામથી કરવી જોઈએ. પ્રાણાયામ શ્વાસ લેવાની ટેકનિક પર આધારિત છે, જે શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધારે છે અને આ તમારી ત્વચા પર પણ સકારાત્મક અસર દર્શાવે છે. અનુલોમ-વિલોમ સૌથી સરળ પ્રાણાયામ છે અને શિખાઉ માણસો પણ તે કરી શકે છે. (Pic: Pexels) (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)