
સર્વંગાસન: આ આસન મગજમાં રક્ત પ્રવાહ વધારે છે, જે યાદશક્તિ માટે ફાયદાકારક છે. સાદડી પર સૂઈને શરૂઆત કરો. ધીમે-ધીમે તમારા પગને 90 ડિગ્રી સુધી ઉંચા કરો. પછી તમારા હાથ વડે તમારા કમરને ટેકો આપો અને તમારા પગને ઉપરની તરફ ખસેડો જેથી તમારું વજન તમારા ખભા અને માથા પર રહે. થોડીવાર આ સ્થિતિમાં રહો તમારા શ્વાસને સામાન્ય રાખો. જો તમે નવા છો તો દિવાલના ટેકાથી આ કરો.

હલાસન: તે નર્વસ સિસ્ટમને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે, જેનાથી મગજનું કાર્ય સુધરે છે. સર્વાંગાસન સ્થિતિથી શરૂઆત કરો. ધીમે ધીમે પગને માથા ઉપર ખસેડો જેથી અંગૂઠા જમીનને સ્પર્શે. હાથને પીઠ પર અથવા જમીન પર સીધા રાખો. થોડીક સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો અને ધીમે ધીમે પાછા આવો.

પશ્ચિમોત્તાનાસન: આ આસન એકાગ્રતા વધારે છે અને મગજને તાજગી આપે છે. સાદડી પર બેસો અને પગ સીધા કરો. શ્વાસ બહાર કાઢો અને આગળ ઝૂકો, માથું ઘૂંટણને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો અને હાથ અંગૂઠા સુધી પહોંચે. 1-2 મિનિટ સુધી આ સ્થિતિમાં રહો, સામાન્ય શ્વાસ રાખો.

ભ્રામરી પ્રાણાયામ: આ પ્રાણાયામ તણાવ અને ચિંતા ઘટાડે છે, જેનાથી મન શાંત થાય છે. શાંત જગ્યાએ બેસો, આંખો બંધ કરો અને અંગૂઠાથી કાનને હળવાશથી બંધ કરો. શ્વાસ બહાર કાઢતી વખતે મધમાખી જેવો અવાજ કરો. 3-5 મિનિટ માટે આ પુનરાવર્તન કરો.

સૂર્ય નમસ્કાર: આ 12 આસનોનો ક્રમ છે જે રક્ત પરિભ્રમણ વધારે છે અને મગજમાં ઓક્સિજનનો પુરવઠો સુધારે છે. સવારે ખુલ્લી જગ્યામાં સાદડી પાથરવી. તાડાસનથી શરૂઆત કરો, પછી ભુજંગાસનની સાથે બીજા આસનનો પણ સમાવેશ થાય છે. આને 5-10 મિનિટ સુધી પુનરાવર્તન કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)
Published On - 9:42 am, Thu, 26 June 25