
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં મનરેગા યોજનામાં મોટા પાયે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કૌભાંડમાં 71 કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિ થયેલી હોવાનો આરોપ છે. આ કૌભાંડમાં ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, કામો કર્યા વગર બિલ ઉપાડી લેવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં 35 થી વધુ એજન્સીઓ સામેલ હોવાની આશંકા છે.

ગુજરાતમાં 17 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ કરવામાં આવી હતી. નવા મંત્રીમંડળના તમામ મંત્રીઓએ 17 ઓક્ટોબરના રોજ શપથ લીધા હતા. ભાજપની સરકારમાં આગામી 2 વર્ષ માટે નવું મંત્રીમંડળ રચવામાં આવ્યુ છે. હર્ષ સંઘવીને ગૃહપ્રધાનના પદ સાથે જ નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યારે નવા મંત્રી મંડળમાં પ્રફુલ પાનસેરિયા, કુંવરજી બાવળીયા, ઋષિકેશ પટેલ, પુરસોત્તમ સોલંકીએ રિપીટ થયા છે. તેમજ રીવાબાને શિક્ષણ વિભાગ સોંપવામાં આવ્યું છે.