
IPL 2027 પહેલાં લખનૌ સુપર જાયન્ટ્સના ટીમ ઓનર સંજીવ ગોયન્કાએ યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. IPL 2026માં વૈભવે જે પ્રકારે બેટિંગ કરી હતી, તેને જોતાં તેનો સ્ટારડમ વર્ષ 2027 માં વધવાનો છે.

વૈભવને હવે ક્રાઉડ પુલિંગ ખેલાડી તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે સંજીવ ગોયન્કાએ વૈભવને પોતાની ટીમમાં એડ (Add) ન કરી શકવા અંગે નિવેદન આપ્યું છે. શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં ગોયન્કાએ કહ્યું કે, તેમને એ વાતનો પસ્તાવો છે કે તેઓ વૈભવને પોતાની સાથે ન જોડી શક્યા. એટલું જ નહીં તેમણે કહ્યું કે, તેઓ એકલા નથી પરંતુ રાજસ્થાનને છોડીને બાકીની તમામ ટીમો તેને પોતાની સાથે ન જોડી શકવા પર પસ્તાવો કરી રહી છે.

વૈભવ સૂર્યવંશી આવનારા સમયમાં શું IPL ટીમ બદલશે? તે અંગે પણ સંજીવ ગોયન્કાએ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. તેમણે કહ્યું કે, રાજસ્થાન રોયલ્સના નવા માલિક લક્ષ્મી મિત્તલ છે અને તેઓ તેમને ક્યારેય પોતાની ટીમમાંથી જવા દેશે નહીં.

હવે જો વૈભવ ભવિષ્યમાં રાજસ્થાન રોયલ્સનો સાથ છોડે છે, તો શું લખનૌ તેને પોતાની ટીમમાં એડ (Add) કરવા આગળ આવશે? આ સવાલના જવાબમાં ગોયન્કાએ કહ્યું કે, તેઓ એકલા નથી. આ રેસમાં જ્યારે પણ વૈભવ આવશે, તેને ખરીદવા માટે તમામ ટીમો બંને હાથે આગળ આવશે.

IPL 2025 ના ઓક્શનમાં વૈભવ સૂર્યવંશીને પહેલીવાર રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સિઝનમાં સૂર્યવંશીને વધુ મેચ રમવાની તક મળી ન હતી. 7 મેચમાં વૈભવે 36.00ની એવરેજથી 252 રન બનાવ્યા હતા.

આ દરમિયાન તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. જો કે, વર્ષ 2026 માં વૈભવનો વિસ્ફોટક અંદાજ જોવા મળ્યો અને તે ઓરેન્જ કેપ વિજેતા બન્યો. તેણે 48.5ની એવરેજથી 776 રન બનાવ્યા.

આ દરમિયાન તેણે એક સદી અને 5 અડધી સદી ફટકારી. વૈભવ એક જ સિઝનમાં ઓરેન્જ કેપ અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.