
ભારતે ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે શરૂ કર્યું હતું. પરંતુ પાકિસ્તાનને આતંકવાદીઓ વધુ વ્હાલા લાગ્યા તેથી તેમણે આતંકવાદ સામેની લડાઈ-હુમલાને પોતાની લડાઈ બનાવી નાખી જેમાં તેમણે ભારે માર ખાધો. એટલું જ નહીં સૈન્યની દ્રષ્ટિએ પણ પારાવાર નુકસાન ભોગવવું પડ્યું છે.

ભારતને જાણ હતી કે, પાકિસ્તાન લાઈન ઓફ કંટ્રોલ (LoC) પાર કર્યા વિના જ ભારતમા વિવિધ જગ્યાઓ પર હુમલા કરવાનો પ્રયાસ કરશે તેથી ભારતે તેની સુરક્ષા પ્રણાલી પહેલેથી જ એક્ટિવ કરી નાખી હતી.

ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાને વર્ષો પછી ભારતની સૈન્ય તાકાતનો સ્વાદ ચાખ્યો છે. પાકિસ્તાન એ ના ભૂલે કે આ લડાઈ આતંકવાદ સામેની છે. જો હવે ફરી ભારતમાં આતંકી હુમલા થશે તો ઓપરેશન સિંદૂર કરતા પણ વધુ ખુવારી અને નુકસાન વેઠવા તૈયાર રહે.
Published On - 7:41 pm, Mon, 12 May 25