
ધનતેરસના દિવસે 11 કોડીઓની પૂજા કરી દરવાજા પર લટકાવશો તો મા લક્ષ્મી સદૈવ આપના ઘરમાં રહેશે. તમારા પર દરરોજ માતા લક્ષ્મીની કૃપા બની રહેશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા ખંડમાં કોડી રાખવી શુભ માનવામાં આવે છે. પૂજા રૂમમાં કોડી રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જે ઘરમાં કોડીની પૂજા કરવામાં આવે છે ત્યાં ક્યારેય પૈસાની કમી થતી નથી.

પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મી સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયા હતા. કોડીઓ પૈસાને આકર્ષે છે. તેથી કોડીઓને પૈસાની નજીક રાખવામાં આવે છે.

કોડીની પૂજા કઈ રીતે કરવી (How to worship Kodi) : કોડીને કેસર અથવા હળદરવાળા પાણીમાં પલાળી દો. પૂજા કર્યા પછી બે કોડીને લાલ કપડામાં અલગ-અલગ ભાગમાં બાંધી દો. પછી એક પોટલી ઘરની તિજોરીમાં અને એક પોટલી તમારા પૂજા રૂમમાં રાખો. આમ કરવાથી તમને ધનની પ્રાપ્તી થશે.