
25 જૂને બદલાયેલા રૂટ પર દોડતી ટ્રેન : સાબરમતીથી દોડતી ટ્રેન નંબર 20939 સાબરમતી-સુલતાનપુર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. સાબરમતીથી દોડતી ટ્રેન નંબર 19411 સાબરમતી-દોલતપુર ચોક એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.

ગાંધીનગર કેપિટલથી દોડતી ટ્રેન નંબર 19223 ગાંધીનગર કેપિટલ-જમ્મુત્વી એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય. અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.

સાબરમતીથી દોડતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા, સિદ્ધપુર, છાપી અને ઉમરદાશી સ્ટેશને નહીં જાય. તેમણે રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી ચાલુ રાખવા વિનંતી કરી છે.