
અમદાવાદથી 90 કિલો મીટર દૂર આવેલા આવેલા સપ્તેશ્વર મંદિરમાં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે તમે પણ મહાશિવરાત્રીના રોજ આ મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો.

સાબરકાંઠાના હિંમતનગર પાસે સપ્તેશ્વર મંદિર આવેલું છે. જ્યાં સાબરમતી નદીના જળથી 24 કલાક શિવલિંગ પર જળાભિષેક થાય છે. જે એક રહસ્યમય છે.

લોક માન્યતા અનુસાર સાત મહર્ષિઓની તપોભૂમિ માનવામાં આવે છે. આ મંદિરમાં કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ, જમદગ્નિ અને ગૌતમ, આ સાતેય ઋષિએ તપ કર્યું હોવાનું માનવામાં આવે છે.

અમદાવાદથી સપ્તેશ્વર મંદિરે એસટી બસ અથવા ખાનગી કાર દ્વારા પણ જઈ શકો છો તમે હિંમતનગરથી અથવા ઈડર સુધી બસ દ્વારા પહોંચી તમે સ્થાનિક વાહન દ્વારા પણ તમે મંદિરમાં પહોંચી શકો છો.

સપ્તેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ તમે હિંમતનગર નજીક આવેલા કંટાળેશ્વર હનુમાન ધામ ખાતે શિવરાત્રીની ઉજવણી નિમીત્તે સવા મણ રુના દિવાની જ્યોત પ્રગટાવવામાં આવે છે. વિશ્વ કલ્યાણ માટે થઈને શિવરાત્રીએ અહીં વર્ષોથી પરંપરા રહી છે.