Travel Tips : નવરાત્રીમાં ગુજરાતમાં આવેલા આ શક્તિપીઠના દર્શન કરવાનો પરિવાર સાથે પ્લાન બનાવો

|

Oct 03, 2024 | 1:26 PM

નવલી નવરાત્રીના પવિત્ર તહેવારની શરુઆત આજથી થઈ રહી છે. કુલ 52 શક્તિપીઠોમાંથી ગુજરાતમાં ચાર શક્તિપીઠો આવેલા છે. જેની મુલાકાત લેવાનો જો તમે પ્લાન બનાવી રહ્યા છો. તો આજે અમે તમને જણાવીશું કે, આ 4 શક્તિપીઠની તમે કઈ રીતે મુલાકાત લઈ શકશો.

1 / 6
નવરાત્રીના નવ દિવસો દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી માતાના નામનો સમાવેશ થાય છે. 51 શક્તિપીઠ પૈકી 4 શક્તિપીઠો ગુજરાતમાં આવેલા છે.

નવરાત્રીના નવ દિવસો દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી માતાના નામનો સમાવેશ થાય છે. 51 શક્તિપીઠ પૈકી 4 શક્તિપીઠો ગુજરાતમાં આવેલા છે.

2 / 6
આજથી ગરબા,ડાંડિયા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. જે નવમાં નોરતા સુધી ચાલે છે. ગુજરાતમાં નવરાત્રીની ખેલૈયાઓ મહિનાઓથી રાહ જોતા હોય છે.દેશભરમાં આદ્યાશક્તિના 52 શક્તિપીઠો પૈકી 4 શક્તિપીઠો ગુજરાતમાં આવેલા છે. તો ચાલો આજે જાણીશું તમે કઈ રીતે આ 4 શક્તિપીઠોની મુલાકાત લઈ શકો છો.

આજથી ગરબા,ડાંડિયા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. જે નવમાં નોરતા સુધી ચાલે છે. ગુજરાતમાં નવરાત્રીની ખેલૈયાઓ મહિનાઓથી રાહ જોતા હોય છે.દેશભરમાં આદ્યાશક્તિના 52 શક્તિપીઠો પૈકી 4 શક્તિપીઠો ગુજરાતમાં આવેલા છે. તો ચાલો આજે જાણીશું તમે કઈ રીતે આ 4 શક્તિપીઠોની મુલાકાત લઈ શકો છો.

3 / 6
ગુજરાતના ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લામાં અંબાજી શક્તિપીઠ છે. એવું કહેવાય છેકે ભગવતી જગદંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો. આરાસુર ઉપરાંત માએ મહીષાસુર, ધુમ્રલોચન અને શુંભ-નીશુંભનો નાશ પણ કર્યો હતો. અંબાજી અમદાવાદથી 183 કિલોમીટર દુર આવેલું છે. અહિ જવા માટે તમને બસ કે પછી તમારી કાર લઈને અંબાજીના દર્શન કરી શકો છો.

ગુજરાતના ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લામાં અંબાજી શક્તિપીઠ છે. એવું કહેવાય છેકે ભગવતી જગદંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો. આરાસુર ઉપરાંત માએ મહીષાસુર, ધુમ્રલોચન અને શુંભ-નીશુંભનો નાશ પણ કર્યો હતો. અંબાજી અમદાવાદથી 183 કિલોમીટર દુર આવેલું છે. અહિ જવા માટે તમને બસ કે પછી તમારી કાર લઈને અંબાજીના દર્શન કરી શકો છો.

4 / 6
પાવાગઢ શક્તિપીઠ પૂર્વ ગુજરાતમાં પાવાગઢ પર્વત પર આવેલી છે. શંકુ આકાર ધરાવતા આ પર્વત પર વિષ્ણુના સુદર્શન ચક્રથી સતિના જમણા પગની આંગળી અહીં પડી હતી. અહીંયા જગતજનની જગદંબા મહાકાળી સ્વરૂપે બીરાજમાન છે. પાવાગઢ જવા માટે તમને અમદાવાદથી એસટી બસ મળી જશે. તેમજ જો તમારે ટ્રેન દ્વારા જવું છે તો અમદાવાદથી વડોદરા અને ત્યાંથી તમે બસ દ્વારા પાવાગઢ જઈ શકો છો. પાવાગઢ અમદાવાદથી 151 કિલોમીટર દુર આવેલું છે.

પાવાગઢ શક્તિપીઠ પૂર્વ ગુજરાતમાં પાવાગઢ પર્વત પર આવેલી છે. શંકુ આકાર ધરાવતા આ પર્વત પર વિષ્ણુના સુદર્શન ચક્રથી સતિના જમણા પગની આંગળી અહીં પડી હતી. અહીંયા જગતજનની જગદંબા મહાકાળી સ્વરૂપે બીરાજમાન છે. પાવાગઢ જવા માટે તમને અમદાવાદથી એસટી બસ મળી જશે. તેમજ જો તમારે ટ્રેન દ્વારા જવું છે તો અમદાવાદથી વડોદરા અને ત્યાંથી તમે બસ દ્વારા પાવાગઢ જઈ શકો છો. પાવાગઢ અમદાવાદથી 151 કિલોમીટર દુર આવેલું છે.

5 / 6
52મું શક્તિપીઠ ગુજરાતમાં આવેલું છે. જે ભરુચમાં આવેલું અંબેમાતાનું મંદિર છે. અંબાજી, પાવાગઢ, બહુચરાજી બાદ ભરુચમાં આવેલા આ અંબાજી માતાજીના મંદિરને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.નવરાત્રીમાં ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરે માઈ ભક્તોએ ભીડ હોય છે. આ શક્તિપીઠ જવા માટે તમે બસ કે કાર દ્વારા જઈ શકો છો.

52મું શક્તિપીઠ ગુજરાતમાં આવેલું છે. જે ભરુચમાં આવેલું અંબેમાતાનું મંદિર છે. અંબાજી, પાવાગઢ, બહુચરાજી બાદ ભરુચમાં આવેલા આ અંબાજી માતાજીના મંદિરને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે.નવરાત્રીમાં ભરૂચના શક્તિપીઠ અંબાજી મંદિરે માઈ ભક્તોએ ભીડ હોય છે. આ શક્તિપીઠ જવા માટે તમે બસ કે કાર દ્વારા જઈ શકો છો.

6 / 6
આ શક્તિપીઠ મધ્ય ગુજરાતમાં બહુચરાજીમાં આવેલી છે. અહીંના બોરુવનમાં શિવ પત્ની સતીના અંગનો ડાબો હાથ પડ્યો હતો.  આજે આ સ્થળ બહુચરાજી નામે ઓળખાય છે. જો તમારે બહુચરાજી જવું છે તો બહુચરાજી અમદાવાદથી  113 કિલોમીટર દુર આવેલું છે.અહિ જવા માટે તમને બસ આસાનીથી મળી જશે.

આ શક્તિપીઠ મધ્ય ગુજરાતમાં બહુચરાજીમાં આવેલી છે. અહીંના બોરુવનમાં શિવ પત્ની સતીના અંગનો ડાબો હાથ પડ્યો હતો. આજે આ સ્થળ બહુચરાજી નામે ઓળખાય છે. જો તમારે બહુચરાજી જવું છે તો બહુચરાજી અમદાવાદથી 113 કિલોમીટર દુર આવેલું છે.અહિ જવા માટે તમને બસ આસાનીથી મળી જશે.

Next Photo Gallery