
ઉત્તરાયણ 2026 સમગ્ર ગુજરાતમાં 10 થી 14 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવશે, જેની શરૂઆત 10 જાન્યુઆરીએ રાજકોટથી થશે, ત્યારબાદ 11 જાન્યુઆરીએ શિવરાજપુર, સુરત અને વડનગરમાં કાર્યક્રમો યોજાશે.

આ ઉજવણી 12 જાન્યુઆરીએ એકતા નગર (SOU)અને ધોળાવીરામાં ચાલુ રહેશે અને 13 અને 14 જાન્યુઆરીએ અમદાવાદમાં ભવ્ય ઉત્સવ સાથે સમાપ્ત થશે, જ્યાં સાબરમતી રિવરફ્રન્ટ મુખ્ય ઉત્સવોનું આયોજન કરશે. આ તહેવાર ઉત્તર ભારતના અન્ય ભાગોમાં મકરસંક્રાંતિ અને તમિલનાડુમાં પોંગલ તરીકે ઓળખાય છે.

ઉત્તરાયણ પર્વને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા અને ભાગ લેવા માટે દેશભરના પતંગબાજોને આમંત્રિત કરવા દર વર્ષે ગુજરાતમાં ‘ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ’યોજવામાં આવે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. ( All photo : gujarta turisam)