
Noida International Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 માર્ચ, 2026 ના રોજ ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક (જેવર એરપોર્ટ) ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ ફક્ત એક નવું હવાઇમથક નથી, પરંતુ ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં એક મોટું અને ઐતિહાસિક પગલું છે. આ હવાઇમથક દિલ્હી-એનસીઆર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે મુસાફરીને સરળ બનાવશે, તેમજ ભારતને વૈશ્વિક ઉડ્ડયન હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. હવે વાત કરીએ ગુજરાતના એરપોર્ટની. ગુજરાત દેશમાં ઝડપી વિકાસ કરતા રાજ્યોમાંનું એક છે અને હવાઈ મુસાફરીના ક્ષેત્રમાં પણ રાજ્ય આગળ વધી રહ્યું છે. રાજ્યમાં અનેક એરપોર્ટ છે, પરંતુ કેટલાક એરપોર્ટ એવા છે જે કદ, સુવિધા અને મુસાફરોની સંખ્યાના આધારે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સૌથી પહેલું નામ આવે છે Sardar Vallabhbhai Patel International Airportનું. અમદાવાદમાં આવેલું આ એરપોર્ટ ગુજરાતનું સૌથી વ્યસ્ત અને મોટું એરપોર્ટ છે, જ્યાંથી દેશ-વિદેશ માટે ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે.

બીજું મહત્વપૂર્ણ એરપોર્ટ છે Surat International Airport. સુરતના આ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થતાં શહેરને વૈશ્વિક જોડાણ મળ્યું છે.

ત્રીજા સ્થાને છે Vadodara Airport. આધુનિક ટર્મિનલ સાથેનું આ એરપોર્ટ મધ્ય ગુજરાત માટે મહત્વપૂર્ણ છે. જે વાણિજ્યિક અને લશ્કરી બંને ફ્લાઇટ્સની સુવિધા આપે છે.

ચોથું છે Rajkot International Airport, જે તાજેતરમાં વિકસિત થયું છે અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે હવાઈ કનેક્ટિવિટી વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પાંચમું મહત્વપૂર્ણ એરપોર્ટ છે Bhavnagar Airport, જે ઉદ્યોગ અને વેપાર માટે મહત્વપૂર્ણ છે. સાથે કચ્છનો પણ સમાવેશ થાય છે. કચ્છ પ્રદેશમાં સેવા આપતું એક મહત્વપૂર્ણ એરપોર્ટ, જે પ્રવાસન અને વાણિજ્ય માટે સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. આ એરપોર્ટ્સ ગુજરાતના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વધતી હવાઈ સુવિધાઓના કારણે વેપાર, પ્રવાસન અને રોકાણમાં વધારો થઈ રહ્યો છે. આગામી સમયમાં વધુ એરપોર્ટ અને સુવિધાઓ વિકસિત થવાની શક્યતા છે, જે રાજ્યને વધુ મજબૂત બનાવશે.

નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક (જેવર એરપોર્ટ) ઉત્તર પ્રદેશમાં ભારતનું સૌથી મોટું અને પૂર્ણ થયા પછી એશિયાના સૌથી મોટા એરપોર્ટમાંનું એક બનવા માટે તૈયાર છે એટલે કે આ દેશ અને એશિયામાં પ્રથમ નંબર પર આવે છે. આ એરપોર્ટ દેશના અર્થતંત્રને પણ વેગ આપશે. આ પ્રોજેક્ટ પીએમ નરેન્દ્ર મોદીના 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્ય અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 1 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના વિઝનને પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. એરપોર્ટ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંનેનું સંચાલન કરશે. એક વિશાળ મલ્ટિમોડલ કાર્ગો ટર્મિનલ પણ વિકસાવવામાં આવી રહ્યું છે, જે આયાત-નિકાસ પ્રવૃત્તિઓને વેગ આપશે અને ઔદ્યોગિક વિકાસને વેગ આપશે.